ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં થયેલી વૃદ્ધા ગોદાવરીબેનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો પોલીસે આરોપી યોગેશકુમાર રતીલાલ મકવાણાની ધરપકડ કરી આરોપી મૃતકનો ભત્રીજો જમાઈ હોવાનો આવ્યો બાહર. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 6 જૂન, 2025ના રોજ ગોદાવરીબેનનો મૃતદેહ મળ્યો હતો.

શરૂઆતમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધાયો પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ડીવાયએસપી કે.કે. પંડ્યાના જણાવ્યા મુજબ, આરોપી મહેસાણાના શિવમ હેરિટેજ સોસાયટીનો રહેવાસી છે. તે આર્થિક સંકડામણ અને દેવામાં હતો. ગોદાવરીબેન સાથે ઘરકંકાસનું મનદુઃખ હતું.

તેમની પાસે રોકડ અને દાગીના હોવાની જાણકારી હોવાથી, આરોપીએ બપોરના સમયે એકલતાનો લાભ લઈ હત્યા કરી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ. 5,03,008ની કિંમતના સોનાના દાગીના અને રૂ. 5,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. હાલ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વધુ તપાસ કરી રહી છે.


