ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા વન નેશન, વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ડો.સુજયભાઈ મહેતા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં જણાવવામાં આવ્યું 1951થી 1967 સુધી ભારતમાં વન નેશન વન ઇલેક્શનની વ્યવસ્થા અમલમાં હતી.

બંધારણના આર્ટિકલ 51થી 124માં પણ આ અંગેની જોગવાઈ કરવામાં આવી 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે વન નેશન વન ઇલેક્શન મહત્વપૂર્ણ પગલું બની રહેશે.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.

નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, તાલુકા મંડલ પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ અને શહેર મંડલ પ્રમુખ કુલદીપભાઈ પાઠક સહિત વિવિધ મોરચાના પ્રમુખો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. સંમેલનમાં ઉપસ્થિત તમામ નાગરિકોએ હાથ ઊંચા કરી વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું.


