ગરવી તાકાત અરવલ્લી : ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવ્યું.

વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા દેવ ગદાદર શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા આ ઉપરાંત, ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા.

અને ભક્તોએ પણ એકબીજાને કલર લગાવીને રંગોત્સવની ઉજવણી કરી વહેલી સવારથી જ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની ઝાંખી કરવા માટે ઊભા મંદિર પરિસરની બહાર પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી આમ, યાત્રાધામ શામળાજીમાં ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રંગોત્સવ ઉજવાયો.


