રાજીવ ગાંધી હત્યા કેસના આરોપી નલિનીના જામીન મંજુર કરાયા !

December 24, 2021
Nalini

તમિલનાડુ સરકારે રાજીવ ગાંધી હત્યા કેસના સાત દોષિતોમાંથી એક નલિની શ્રીહરનને એક મહિના માટે પેરોલ પર જવાની મંજૂરી આપી છે. આ કેસમાં તેમની બિમાર માતાએ કોર્ટમાં વારંવાર વિનંતી કરે છે. વિશેષ સરકારી વકીલ હસન મોહમ્મદ ઝીણાએ ગુરુવારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નલિનીને એક મહિનાની સાદી પેરોલ મંજૂર કરી છે અને તે હવે તેની બિમાર માતા પદ્માની મુલાકાત લઈ શકશે. નલિની હાલમાં વેલ્લોરની વિશેષ મહિલા જેલમાં બંધ છે.

પદ્માએ જસ્ટિસ પી એન પ્રકાશ અને આર હેમલતાની બેંચ સમક્ષ તેમની પુત્રીને પેરોલ પર આવવા દેવા માટે અરજી કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની વિનંતીને સ્વીકારીને બેન્ચે પદ્માની અરજીનો નિકાલ કર્યો હતો. હવે નલિની તેની માતા સાથે વેલ્લોરના સતુવાચેરીમાં કડક પોલીસ જાપ્તા હેઠળ ભાડાના મકાનમાં રહેશે. તેની સાથે બહેન કલ્યાણી અને ભાઈ બકિયાનાથન પણ હશે. 2019માં પણ નલિનીને આવી જ પેરોલ આપવામાં આવી હતી.

તમિલનાડુ કેબિનેટે 2018માં નલિની અને અન્ય દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી પરંતુ રાજ્યપાલે ફાઇલને મંજૂરી આપી ન હતી. નલિની અને તેના સહયોગીઓએ મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વિનંતી કરી છે કે તેમને રાજ્યપાલની મંજૂરી વિના મુક્ત કરવામાં આવે. આ અરજી પણ કોર્ટમાં પેન્ડિંગ છે.

ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની હત્યા 21 મે 1991ના રોજ શ્રીપેરમ્બદુરમાં એક જાહેર સભા દરમિયાન કરવામાં આવી હતી જ્યારે તેઓ લોકોને મળી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા તેની નજીક ગઈ અને તેણે પોતાની જાતને વિસ્ફોટકથી ઉડાવી દીધી. આ ઘટનાના ત્રણ અઠવાડિયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી નલિની અને તેમનો પતિ શ્રીહરન જેલમાં છે.

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0