ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013 હેઠળ કુલ 2,41,955 કુટુંબો નોંધાયેલા આમાં 11,40,401 વ્યક્તિઓનો સમાવેશ થાય હાલમાં 1,713 કુટુંબો અને 1,44,557 વ્યક્તિઓનું ઈ-કેવાયસી બાકી સરકારી નિર્દેશ મુજબ, 0થી 5 વર્ષના 22,024 બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના 1,937 વૃદ્ધોને ઈ-કેવાયસી વગર પણ અનાજનો લાભ મળશે.

બાકીના 1,20,596 લોકોએ 30 જૂન 2025 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું આવશ્યક રેશનકાર્ડ ધારકો જૂન 2025નો ઘઉં-ચોખાનો લાભ કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકશે રાજ્ય સરકાર તરફથી ખાંડ, મીઠું, ચણા અને તુવેરદાળ મળશે. જુલાઈ અને ઓગસ્ટ 2025નો કેન્દ્ર સરકારનો ઘઉં-ચોખાનો જથ્થો પણ ચાલુ માસમાં મળશે.

જિલ્લા પુરવઠા તંત્રે 12.68% બાકી લાભાર્થીઓને ઈ-કેવાયસી માટે વિવિધ વિકલ્પો આપ્યા છે. તેઓ પોસ્ટ વિભાગના કર્મચારીઓ, મામલતદાર કચેરી, ઈ-ગ્રામ સેન્ટર, સસ્તા અનાજની દુકાનો કે માય રેશન મોબાઈલ એપ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે.


