અશાંતિ ફેલાવતા શાંતિ વિલાસમાં ચાલતાં વરલી મટકાનું જુગારધામ બંધ કરવાની હિંમત દાખવતાં રેલવે Psi એસ.કે.રાવલ
મહેસાણા રેલવે સ્ટેશનની હદમાં વરલી મટકાનો જુગારધામ ચલાવતાં બે પંટરો ઝડપાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – મહેસાણા રેલવે પોલીસની હિંમત અને કામગીરીને દાદ દેવી પડે તેમ છે. મહેસાણા રેલવે પોલીસના મહિલા પીએસઆઇ એસ. કે. રાવલ તેમજ ડી સ્ટાફ દ્વારા મહેસાણા રેલવે સ્ટેશનની હદમાં શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસના બે શખ્સો દ્વારા વરલી મટકાનો જુગારધામ ચલાવતાં રંગેહાથેેેેેેે ઝડપી પાડ્યાં હતા.
જેમાં મહેસાણા રેલવે પોલીસને શાંતિ વિલાસ ગેસ્ટહાઉસના સંચાલક સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. જ્યારે વરલી મટકાનો જુગાર લખતા શખ્સો પાસેથી 5300ની રોકડ પણ કબજે લેવામાં આવી હતી. મહેસાણા રેલવે પોલીસની હિંમતને સલામ આપવી જોઇએ. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા શાંતિવિલાસ ગેસ્ટ હાઉસના સંચાલકની કાળી કરતુતનો પર્દાફાશ થયો છે. મહેસાણામાં વર્ષોથી શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસનો સંચાલક વરલી મટકાનો જુગારધામ ચલાવે છે.
નાના નાના પન્ટર વિવિધ સ્થળે બેસી વર્લી લખે અને તે પછી વલણ શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસના સંચાલકને લખાવવામાં આવે છે. આ ગોરખધંધો લાંબા સમયથી ચાલે છે. આમ છતાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા આ ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધવાની કોઈએ હિંમત નથી કરી. પરંતુ રેલવે પોલીસના પી એસ આઈ એસ.કે.રાવલે રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં વર્લી લખતા બે શખ્સ ને ઝડપી પાડતાં પીએસઆઇની હિંમતને દાદ દેવી પડે તેમ છે.
ઝડપાયેલા બે શખ્સની તપાસમાં વલણ શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસના સંચાલકને લખાવતા હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાત અને અન્ય પુરાવા આધારે શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસના અબ્દુલભાઇ મહોમદભાઈ બહેલીમ રહે કસ્બા રીક્ષા ડ્રાઈવર, જાકિરહુસેન અકબરભાઈ નાગોરી અને શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસના સંચાલક સામે સીતારામ બ્રાહ્મણ સામે ગુનો નોંધ્યો છે. જે કામ ખરેખર એ ડિવિઝન પોલીસે કરવાનું હતું. જે ગોરખધંધો એ ડિવિઝન પોલીસે બંધ કરવાનો હતો. એ રેલવે પોલીસના મહિલા પીએસઆઈએ બંધ કરાવ્યો હતો. રેલવે પોલીસના પીએસઆઈએ હિંમત દાખવી વર્ષોથી ગોરખધંધો ચલાવતા શાંતિ વિલાસ ગેસ્ટ હાઉસના સંચાલક સામે કાર્યવાહી કરી હતી.