ગરવી તાકાત પાલનપુર : છેલ્લા કેટલાય સમય થી ઠેર ઠેર લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને જેના કારણે હજારો પશુઓ મોતના મુખમાં હોમાય
છે. હાલમાં અમીરગઢ તાલુકામાં પણ ૩ ગામોમાં લંપી વાયરસ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પરંતુ તંત્ર એલર્ટ હોવાને કારણે અને પશુઓને તાત્કાલિક સારવાર મળી જતા કોઈ જાનહાની થઈ નથી. આ અંગે વધુ માહિતી આપતા અમીરગઢ તાલુકા પસુ ચિકિત્સક ડોક્ટર ગેહલોતે જણાવ્યું હતું

કે
અમીરગઢ તાલુકાના ગામ જેથી, જાલરા કરજા, આંબાપાણી આ ૩ ગામોમાં પશુઓમાં લંપી વાયરસ દેખાયો હતો. જેમાં કુલ ૩ ગામના થઇને ૬૯ જેટલા પશુઓ અસરગ્રસ્ત છે જે તમામ હાલ સારવાર હેઠળ છે જેમાંથી ૧૨ પશુઓ સારવાર હેઠળ છે જ્યારે અન્ય પશુઓ રિકવરી ફેજમાં છે.

આ લંપી વાયરસ તાલુકામાં વધુ પ્રમાણમાં ના ફેલાય તે માટે બનાસ ડેરી અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે પુરજોશમાં રસીકરણ ની કામગીરી ચાલુ છે જેમાં જુદી જુદી ૯ ટિમો બનવી અમીરગઢ તાલુકા માં રસીકરણ પશુઓને આપવાનું ચાલુ છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર