6400 TRBના જવાનોને છૂટા કરવાનો નિર્ણય ગૃહવિભાગે મોકૂફ રાખતાં હાશકારો 

November 23, 2023

TRB જવાનો નિયમ ભંગ કર્યો છે એમને પરત નહી લેવાય. શિસ્ત ભંગના કેસોમા પણ પરત નહી લેવાય બાકીના તમામ તમામ જવાનોની માનદ સેવા યથાવત રહેશે

ગુજરાતમાં ચાર રસ્તા પર ટ્રાફિકમાં ફરજ બજાવતા 9000 TRB જવાનોમાંથી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો હતો

ગરવી તાકાત, મહેસાણા તા. 23 – TRB જવાનોને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુત્રો પાસેથી જાણવા મલી રહ્યું છે કે TRB જવાનોને છુટા કરવાના નિર્ણય મોકૂફ રખાશે. પરંતુ હા સૂત્રો જણાવી રહ્યા છે કે જે TRB જવાનો નિયમ ભંગ કર્યો છે એમને પરત નહી લેવાય. શિસ્ત ભંગના કેસોમા પણ પરત નહી લેવાય. ભાજપ પ્રદેશ પ્રમુખે પણ સારા સમાચારના સંકેત આપ્યા હતા. સીઆર પાટીલે પણ સાંજ સુધીમાં સારા સમાચારના સંકેત આપ્યા હતા.

Big update on TRB jawans, orders to lay off total 6400 personnel | Sandesh

TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય ગૃહ વિભાગે મોકૂફ રાખ્યો છે. જી હા… અંદાજે 6 હજાર જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. સાથે જ મહત્વની ખબર એ મળી રહી છે કે જે જવાનોએ નિયમ ભંગ કર્યો છે એમને પરત લેવામાં નહીં આવે. શિસ્ત ભંગના કેસમાં TRB જવાનોને પરત લેવામાં નહીં આવે. બાકીના તમામ તમામ જવાનોની માનદ સેવા યથાવત રહેશે. ગાંધીનગર ખાતે ગૃહ વિભાગની એક મહત્વની બેઠક ચાલી રહી છે. તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. .

મહત્વનું છે કે, ગુજરાતમાં ચાર રસ્તા પર ટ્રાફિકમાં ફરજ બજાવતા 9000 TRB જવાનોમાંથી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો હતો. આગામી માર્ચ 2024 સુધી 6400 TRBના જવાનોને ક્રમશઃ છુટા કરવાના નિર્ણય બાદ રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનો આંદોલન કરતા નજરે પડ્યા હતા. તમને જણાવી દઈએ કે 10 વર્ષ TRBમાં થયા છે એવા 1100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છુટા કરવા આદેશ આપી દેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ વર્ષ પુર્ણ થયા છે તેવા 3000 TRB જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છુટા કરવા આદેશ કરાયો હતો. આ સિવાય જેણે ત્રણ વર્ષ થયા છે તેવા 2300 જવાનોને માર્ચ 2024મા છુટા કરવા જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ DGPના આદેશ અનુસાર ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનો પાંચ વર્ષથી કાર્યરત હશે, એવા જવાનોને 31-12-2023ના રોજ મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે 10 વર્ષથી કાર્યરત જવાનોને 30-11-2023 સુધી મુક્ત કરવા આદેશ અપાયો હતો. આ સિવાય ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ થયેલા હોય તેવા TRB જવાનોને 31-03-2024 સુધીમાં છૂટા કરવા જણાવાયું હતું. તમને જણાવી દઈએ કે 9000 TRB જવાનોમાંથી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય ડીજીપી વિકાસ સહાયે કર્યો હતો. રાજ્યમા હાલ 9000 ટીઆરબી જવાનો ફરજ પર છે. ખાલી પડતી જગ્યાઓ નિયમો મુજબ ભરવા માટે પણ આદેશ કરાયો છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0