તમે શહેરના રસ્તાઓ પર પડતા ખાડા-ભુવાઓ પૂરવા શું કરશો અને તે ના પડે તે માટે શું કરશો
રાજય સરકારને સવાલ કર્યો હતો કે, સ્ટેટ દ્વારા જયારે કોઈ વિકાસ કામગીરીની વાતો થતી હોય તો , તે રાજ્યની આબોહવા મુજબ નીતિ હોય તે જરૂરી હોય છે. શું સરકાર પાસે આવી કોઇ નીતિ છે.
ગરવી તાકાત, અમદાવાદ તા. 27 – હાઇકોર્ટે અમ્યુકોને જણાવ્યું હતું કે, રોડ-રસ્તાઓની ડીઝાઇન, અને અન્ય ટેકનીકલ ઇશ્યુમાં તમે પોતાના સ્ટાફથી કામ કરો છો, પણ તમે શહેરના રસ્તાઓ પર પડતા ખાડા-ભુવાઓ પૂરવા શું કરશો અને તે ના પડે તે માટે શું કરશો તે સ્પષ્ટ રીતે જણાવો. ખાડા-ભુવા પૂરવા માટે તમે પદ્ધતિ અપનાવો છો ?

આવી બાબતો અટકાવવા માટે શું મોટી અપનાવી છે? હાઇકોર્ટે આ તમામ મુદ્દા સાથે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ અને તેના રીપેરીંગ કાર્યના ડેટા સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા અમ્યુકો સત્તાધીશોને હુકમ કર્યો હતો. કેસની સુનાવણી આગામી તા. 1 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.

દરમ્યાન જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકારને સવાલ કર્યો હતો કે, સ્ટેટ દ્વારા જયારે કોઈ વિકાસ કામગીરીની વાતો થતી હોય તો , તે રાજ્યની આબોહવા મુજબ નીતિ હોય તે જરૂરી હોય છે. શું સરકાર પાસે આવી કોઇ નીતિ છે. તમારે આવી નીતિ માટે વિચારવું જોઇએ.
ખાસ કરીને સરેરાશ વરસાદના આધાર પર નીતિ બને તે જરૃરી છે. કારણ કે, ચાર ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં લોકો હેરાન થઇ જતા હોય છે. જેથી અલગ-અલગ વિસ્તારોમાં પડતા વરસાદ અને સરેરાશ આંકને ધ્યાનમાં લઇ રસ્તાના પ્લાનીંગ અંગે નિર્ણય લેવાવો જોઇએ. જરૃર હોય તો રોડ-રસ્તાના બનાવવા અંગેની પધ્ધતિમાં પણ બદલાવ કરવો જોઇએ.


