શિહોરીથી પાટણ જવા ઉંબરીના રેલવે ઓવરબ્રિજ પરથી રોજના હજારો લોકો કરી રહ્યાં છે મોતની મુસાફરી, જુઓ ભયાનક તસ્વીર

August 3, 2023

વહીવટી તંત્ર રસ્તો બંધ છે એવા બોર્ડ મારીને તેમજ પોલીસના બેરીગેટ મારીને પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે

શિહોરીથી પાટણ જવાનો જે રસ્તો હતો તે બનાસ નદીના પાણી આવતા રસ્તો ધોવાઈ ગયો છે

 જો કોઈ મોટો અકસ્માત સર્જાયો કે જો કોઈ મોટી જાનહાની થઈ તો જવાબદાર કોણ રહેશે

ગરવી તાકાત, બનાસકાંઠા તા. 03 – શિહોરીથી પાટણ જવા માટે લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. શિહોરીથી પાટણ જવાનો જે રસ્તો હતો તે બનાસ નદીના પાણી આવતા રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે લોકો પાટણથી શિહોરી અને શિહોરીથી પાટણ જવા માટે 800 મીટર લાંબા રેલવે ઓવર બ્રિજ આવેલ રેલવે ટ્રેક પરથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ટ્રેક પર જ્યારે રેલવે આવે છે ત્યારે મોટી જાનહાની કે અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાય છે. કિલોમીટર, પૈસા અને સમય બચાવવાના ચક્કરમાં લોકો જે છે તે મોતની મુસાફરી કરી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0