ગરવી તાકાત પાટણ : પાટણના જગન્નાથ મંદિરમાં 143મી રથયાત્રા પૂર્વે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું બુધવારે રાત્રે 8થી 11 વાગ્યા સુધી મંદિર પરિસરમાં પ્રથમ વખત 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન થયું. કથાના મુખ્ય યજમાન તરીકે રાવલ એન્ટરપ્રાઇઝના ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવારે સેવા આપી.
તેમની સાથે અન્ય 25 પરિવારોએ પણ યજમાન પદનો લાભ લીધો ભક્તિ સંગીત અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે કથા શ્રવણનો લાભ સૌ યજમાનોએ લીધો. ઉલ્લેખનીય છે કે પાટણની રથયાત્રા ભારતમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા ક્રમે આવે છે.
રથયાત્રા સમિતિ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા. આ વિશેષ કથા શ્રવણનો લાભ પાટણના અનેક ધર્મપ્રેમી નાગરિકોએ લીધો કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના કાર્યકરો અને મંદિરના પૂજારીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.