પાટણના જગન્નાથ મંદિરમાં પ્રથમ વખત 31 ભૂદેવોની સત્યનારાયણ કથાનું આયોજન કરાયું

June 26, 2025

ગરવી તાકાત પાટણ : પાટણના જગન્નાથ મંદિરમાં 143મી રથયાત્રા પૂર્વે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું બુધવારે રાત્રે 8થી 11 વાગ્યા સુધી મંદિર પરિસરમાં પ્રથમ વખત 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન થયું. કથાના મુખ્ય યજમાન તરીકે રાવલ એન્ટરપ્રાઇઝના ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવારે સેવા આપી.

પાટણમાં પણ યોજાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો કેવી છે 143મી રથયાત્રાની  તૈયારી...

તેમની સાથે અન્ય 25 પરિવારોએ પણ યજમાન પદનો લાભ લીધો ભક્તિ સંગીત અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે કથા શ્રવણનો લાભ સૌ યજમાનોએ લીધો. ઉલ્લેખનીય છે કે પાટણની રથયાત્રા ભારતમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા ક્રમે આવે છે.

Unique procession at Jagannath Temple in Patan | પાટણના જગન્નાથ મંદિરમાં  અનોખો મનોરથ: રથયાત્રા પહેલા પ્રથમવાર 21 કિલો સૂકા મેવાથી ગર્ભગૃહ સજાવાયું -  Patan News | Divya Bhaskar

રથયાત્રા સમિતિ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા. આ વિશેષ કથા શ્રવણનો લાભ પાટણના અનેક ધર્મપ્રેમી નાગરિકોએ લીધો કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના કાર્યકરો અને મંદિરના પૂજારીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0