ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. જેમાં શારીરિક કસોટીમાંથી પણ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે
ગરવી તાકાત, તા. 11 – અગ્નિવીર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. જી હા… ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. જેમાં શારીરિક કસોટીમાંથી પણ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે, CISFમાં પણ 10 ટકા પોસ્ટ અનામત છે.

અગ્નિવીર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. જી હા… ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. જેમાં શારીરિક કસોટીમાંથી પણ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે, CISFમાં પણ 10 ટકા પોસ્ટ અનામત છે.
તાજેતરમાં પૂરા થયેલા સંસદ સત્ર દરમિયાન વિપક્ષે અગ્નિપથ યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકારને ઘેર્યા બાદ અગ્નિપથ યોજના પરના વિવાદ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 158 સંસ્થાઓના સૂચનો લીધા બાદ તેને લાગુ કરવામાં આવ્યો હતો.


