ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટે કુંવરજી બાવળિયાના નામની ચર્ચા

July 8, 2024

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત

સૌરાષ્ટ્રના કદ્દાવર કોળી નેતા હવે રાજ્યમાં કેબિનેટ વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી બની શકે છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – નીતિન પટેલની ખાલી પડેલી જગ્યા પર એટલે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટે કુંવરજી બાવળિયાના નામની ચર્ચા દિલ્હી સુધી થઈ છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે. ગુજરાતની રાજનીતિમાં એક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવ્યા છે.  સૌરાષ્ટ્રના કદ્દાવર કોળી નેતા હવે રાજ્યમાં કેબિનેટ વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી બની શકે છે.  સોશિલય મીડિયા પર તેમના એકાઉન્ટથી એક તસવીર અપલોડ થઈ અને ચર્ચાઓ અનેક શરુ થઈ ગઈ. જોકે કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયાનું કદ પણ એવું છે કે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ પાણી ભારે છે.

Kunwarji Bawaliya sacked as president of All India Koli Samaj New Delhi |  વિવાદ: અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાને  બરતરફ કરાયા - Surat News | Divya ...

ગુજરાત વિધાનસભામાં કોળી સમાજના એવા 3 નેતા છે જેનું રાજકીય કદ સતત વધી રહ્યું છે. સોલંકી બંધુને નથી નડતી નો રિપીટ થીયરી કે અન્ય કોઈ રાજકીય થીયરી. રાજુલાથી હીરા સોલંકી અને ભાવનગરથી પરષોત્તમ સોલંકી બંને નેતાની પોતાના વિસ્તારમાં પકડ એટલી મજબૂત છે. ચૂંટણી સમયે તેના નામ સિવાય ભાજપને અન્ય નામ વિચારવાની જરૂર જ નથી પડતી. ત્યારે બીજી તરફ પક્ષ પલ્ટો કરી અને કોંગ્રસમાંથી આવેલ કુંવરજી બાવળિયાનું હવે રાજકીય કદ વધી શકે છે. અને બાવળિયા માટે દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે.

કુંવરજી બાવળિયાના રાજકીય કદને લઈ કોઈ શંકા ન કરી શકે કારણ કે, ગુજરાતના મંત્રીમંડળમાં જ્યારે નો રિપીટ થીયરી આવી ત્યાર બાદ પણ કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે નીતિન પટેલની ખાલી પડેલી જગ્યા પર એટલે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટે કુંવરજી બાવળિયાના નામની ચર્ચા દિલ્હી સુધી થઈ છે.   કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના  કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે.
જાણો શું કહે છે આ મામલે કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયાએ કહ્યું કે, હું ભાજપનો  કાર્યકર છું. મને ખબર નથી આવી રજૂઆત થાય છે, પણ હું કેબિનેટ મંત્રી તરીકે સંતુષ્ટ છું. . આવી વાતો હાઈ કમાન્ડ દ્વારા જ નક્કી થતી હોય છે અને હાઈ કમાન્ડ જ નક્કી કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યા બાદ અત્યાર સુધી ગુજરાતને 5 ડેપ્યુટી મુખ્યમંત્રી મળ્યા છે. તેમાં છેલ્લે નીતિન પટેલને આ પદ મળ્યું હતું. નીતિન પટેલા બાદ ઉપમુખ્યમંત્રીનું પદ કોઈને અપાયુ નથી. ત્યારે હવે કુંવરજી બાવળિયાને માટે આ પદની માંગ ઉઠી છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0