રવિવારે જલવાયું પરિવર્તન પર યોજાયેલ સેમિનારમાં દાવો કરાયો હતો
જલવાયું પરિવર્તનથી પાકૃતિક સંસાધનો પર વિપરીત અસર પડી છે
અલ્મોડા, તા.19 – હિમાલય જલવાયું પરિવર્તનનો દેશ સામનો કરી રહ્યુ છે. 40 વર્ષમાં હિમાલયમાં 440 અબજ ટન બરફ પિગળી ગયો છે. એસએસજે પરિસરમાં રવિવારે જલવાયું પરિવર્તન પર યોજાયેલ સેમિનારમાં વકતાઓએ આ દાવા કર્યા હતા.
જલવાયું પરિવર્તન અને હિમાલય ક્ષેત્રમાં પ્રાકૃતિક સંસાધનોની સ્થિરતા પર બે દિવસીય સેમીનારમાં વકતાઓએ હિમાલય અને વિશ્વમાં થઈ રહેલા જલવાયું પરિવર્તન વધતુ તાપમાન અને તેની અસર પર ચર્ચા કરી હતી. કુલપતિ પ્રો.સતપાલસિંહ બીસ્ટે જણાવ્યું હતું કે, જલવાયું પરિવર્તનથી પાકૃતિક સંસાધનો પર વિપરીત અસર પડી છે.
પર્યાવરણ અસ્થિર થઈ રહ્યું છે. જી.બી.પંત રાષ્ટ્રીય હિમાલયી પર્યાવરણ સંસ્થાનનાં ડિરેકટર પ્રા.સુનિલ નૌટીયાલે કહ્યું હતું કે, હિમાલયનો બરફ ઝડપથી પિગળી રહ્યો છે. એકલા 2010 માં 20 અબજ ટન બરફ ગ્લેશીયરોથી પિગળ્યો છે. જો આમ જ થતુ રહ્યું તો તેના દુષ્ટપરિણામો ભવિષ્યમાં આવશે.