ગરવી તાકાત થરાદ : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મ દિવસ ની ધામધુમથી થી ઉજવણી થઇ રહી છે ત્યારે કાર્યકર્તાઓ એ “સેવા પખવાડીયા” તરીકે ઉજવણી કરવાનુ આયોજન કરેલ છે જેના ભાગરૂપે થરાદ માર્કેટ યાર્ડ ખાતે થરાદ
ભાજપ દ્વારા રક્તદાન શિબિર રાખેલ, કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટય કર્યા પછી કૈક કાપી મો મિઠુ કરાવી કરી હતી,
ભાજપ દ્વારા રક્તદાન શિબિર રાખેલ, કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટય કર્યા પછી કૈક કાપી મો મિઠુ કરાવી કરી હતી, મોદીજીના જન્મ દિવસ નિમિત્તે ૧૦૧ લોકોએ રક્તદાન કર્યું હતું.જેમા બનાસબેક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલે રક્તદાન કરી યુવાનો ને રક્તદાન માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના સંયોજક દેવચંદભાઇ સુથાર હતા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, બનાસબેકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, વિસ્તારક હર્ષદભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ,રૂપસીભાઇ પટેલ, તાલુકા પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ


