SBI સિવાય આ તમામ બેંકોનું ખાનગીકરણ કરાશે 

April 13, 2023

નીતિ આયોગે કહ્યું છે કે દેશની 6 સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં

SBI સિવાય આ તમામ બેંકો બનશે ખાનગી ! સરકાર દ્વારા જાહેર કરાયું લિસ્ટ

ન્યુ દિલ્હી તા. 13 – કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બેંકોનું ખાનગીકરણ (bank privatisation in india)કરવામાં આવ્યું છે. હવે ફરી એકવાર બેંકોના ખાનગીકરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે ઘણી બેંકો અને કંપનીઓનું ખાનગીકરણ (bank privatisation)કરવાનો નિર્ણય લીધો છે, જેના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં સરકારી કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.  દેશના બે અગ્રણી અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિવાયની તમામ સરકારી બેંકોને ખાનગી હાથમાં સોંપવી જોઈએ. આ ઉપરાંત, નીતિ આયોગે કહ્યું છે કે દેશની 6 સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં.

નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંકનું ખાનગીકરણ નહીં કરે. સરકારે કહ્યું છે કે આ 6 બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. સરકારી અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ જે લોકો સરકારી બેંક કોન્સોલિડેશનનો ભાગ હતા તેમને ખાનગીકરણથી દૂર રાખવામાં આવ્યા છે.

ઓગસ્ટ 2019માં સરકાર દ્વારા 10 માંથી 4 બેંકોનું મર્જર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 27 થી ઘટીને 12 થઈ ગઈ છે. હાલમાં આ બેંકોના ખાનગીકરણને લઈને કોઈ આયોજન નથી. અભિપ્રાય આપતા નાણા મંત્રાલયે કહ્યું છે કે આ તમામ બેંકોને ખાનગીકરણથી દૂર રાખવી જોઈએ.

નાણામંત્રીએ ગયા વર્ષના બજેટમાં જાહેરાત કરી હતી કે IDBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે. સરકારે આ બેંકમાં પોતાનો હિસ્સો વેચવાની યોજના બનાવી છે. આ અંગે પ્રક્રિયા આગળ ધપાવી છે. સતત વિરોધ છતાં સરકારે ખાનગીકરણ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેને વીમા કંપનીને વેચવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0