નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પહેલા મુખ્યમંત્રી સિવાય ગુજરાતના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા…

October 16, 2025

ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાત સરકારના 17 મંત્રીઓમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય 16 મંત્રીઓએ શુક્રવારે યોજાનાર નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે રાજીનામું આપ્યું. આ 16 મંત્રીઓમાંથી 8 મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રી હતા, જ્યારે અન્ય 8 રાજ્યમંત્રી હતા. મુખ્યમંત્રી સાંજે રાજ્યપાલને નવા મંત્રીઓની યાદી સુપરત કરે તેવી અપેક્ષા છે,

મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી બેઠક પૂર્ણ, વર્તમાન મંત્રીઓના રાજીનામા લઈ  લેવાયા

અને શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સવારે 11.30 વાગ્યે રાજ્યની રાજધાનીના મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહ પછી નવા મંત્રીમંડળની ઉદ્ઘાટન બેઠક થવાની ધારણા છે.

Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી  સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા | Gujarat Cabinet Expansion All 16  ministers of Gujarat resign

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારના અડધાથી વધુ કાર્યકાળ પછીના વિસ્તરણ દરમિયાન રાજ્યમાં મંત્રી પરિષદમાં 10 નવા ચહેરાઓ જોવા મળે તેવી શક્યતા છે. આ સરકાર 2022 માં 156 બેઠકોની જંગી જીત સાથે સત્તામાં આવી. કુલ 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં નિયમો મુજબ 27 મંત્રીઓ (ગૃહની સંખ્યાના 15%) હોઈ શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0