અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકની કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ 38 પોલીસકર્મીની આંતરિક બદલી

March 29, 2025

અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.

215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ હતી થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યાએ 215 પોલીસ કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા, જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી હતી. તો કેટલાક કર્મીની જાહેરહિતમાં બદલી કરવામાં આવી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0