ગરવી તાકાત મહેસાણા : સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹2 કરોડની છેતરપિંડીના કેસમાં મહેસાણાની ઉનાવા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા આ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી આ છેતરપિંડીનો ગુનો ગત 30 મે, 2026ના રોજ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમો હેઠળ દાખલ થયો ફરિયાદીને વિ-શ્વાસમાં લઈને આકાશ જ્ઞાનેશ્વર તથા.

પટેલ મુકેશકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના વહીવટકર્તાઓએ ₹2 કરોડ જમા કરાવવા જણાવ્યું આરોપીઓએ ફરિયાદીને ₹2 કરોડના બદલામાં લીટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટી ટ્રસ્ટમાં ₹4 કરોડ RTGS દ્વારા મોકલવાની લાલચ આપી જોકે ફરિયાદીના ₹2 કરોડ પડાવી લીધા બાદ કોઈ RTGS કરવામાં આવ્યું ન જેનાથી વિશ્વાસઘાત થયો ઉનાવા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સોમાભાઈ.

અને પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈને આરોપીઓ ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી આ બાતમીના આધારે, PSI એસ.વી. પઢારીયાના સુપરવિઝન હેઠળ પોલીસે શંકાસ્પદ સ્થળે દરોડો પાડ્યો દરોડા દરમિયાન, પોલીસે બે મુખ્ય આરોપીઓ પટેલ જયેશકુમાર હરગોવિંદભાઈ અને શર્મા જીતેન્દ્ર મીતાનંદને ઝડપી પાડ્યા.


