ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના આદિવાસી ભીલ આગેવાનોએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને રૂબરૂ મળી રજૂઆત કરી આ રજૂઆત અનુસૂચિત જનજાતિ માટેના જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ખાસ કરીને, 1950ના પુરાવાની ફરજ અને જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશન પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરવા માંગ કરવામાં આવી.

આગેવાનોએ જણાવ્યું કે, જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે 1950 પહેલાંના પુરાવા રજૂ કરવાની ફરજ પાડવામાં આવે જોકે, તે સમયગાળા દરમિયાન આદિવાસી સમાજ શિક્ષણ, જમીન હક અને દસ્તાવેજી રીતે ખૂબ જ પછાત અને અભણ પરિણામે, 1950ના સમયના દસ્તાવેજી પુરાવા આજે ઉપલબ્ધ નથી.

પુરાવાના અભાવે સમાજના લોકોને સરકારી લાભો મેળવવામાં અડચણો ઊભી થાય જેના કારણે તેઓ સરકારી નોકરીઓ અને અન્ય સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી જાય આ બાબતે યોગ્ય નિર્ણય લેવાય અને મુશ્કેલીઓનું નિવારણ આવે તેવી આશા વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી.


