ગરવી તાકાત મહેસાણા : ઊંઝામાં 35 વર્ષીય પરિણીત મહિલાએ પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું ઘટના 25મી ઓગસ્ટના રોજ બની મહિલાએ પોતાના ઘરના બેડરૂમમાં આ પગલું ભર્યું. મહિલાના પતિએ ઘરે આવીને તેમની પત્નીને મૃત અવસ્થામાં જોઈ તેમણે મહિલાનો મોબાઈલ ફોન તપાસ્યો.

ફોનમાં રામપુરા (કુકસ) ગામના સંજય અંબાલાલ ચૌધરી તરફથી વોટ્સએપ પર વોઈસ કોલ, વિડીયો કોલ અને અપશબ્દો લખેલા મેસેજ મળી આવ્યા. મહિલાના પતિએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં સંજય ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમણે આરોપ મૂક્યો કે સંજયે તેમની પત્નીને આત્મહત્યા માટે મજબૂર.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. આરોપી સંજય ચૌધરીએ પોલીસ ધરપકડથી બચવા વિસનગરની એડિશનલ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી સરકારી વકીલ આર.બી. દરજીની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ જજે આરોપીના જામીન અરજી નામંજૂર કરી.


