ગરવી તાકાત બનાસકાંઠા : વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર, મેઢાળા અને રામપુરા ગામોમાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી તેમણે બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા. કાર્યક્રમમાં અધ્યક્ષએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જરૂરી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટા બેઝ તૈયાર કરી ડૅશબોર્ડ બનાવ્યું આના થકી દરેક વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન શક્ય બન્યું.
તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા શૈક્ષણિક વિકાસની વાત કરી અને પાકી શાળાઓ, શિક્ષકોની ભરતી, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી અને રમતગમતના મેદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. અધ્યક્ષએ વાલીઓને બાળકોના શિક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું માત્ર શાળામાં મોકલવાથી વાલીઓની ફરજ પૂરી થતી નથી બાળકોના શિક્ષણમાં નિયમિત સહભાગી થવું જરૂરી છે.
કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. અધ્યક્ષએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને વ્યસનમુક્તિ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ, પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલ સહિત શાળાના આચાર્યો, શિક્ષકો, સરપંચો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.