ગરવી તાકાત, મહેસાણા તા. 04 – શ્રાવણ માસમાં શિવ મહિમાનું વાચન શ્રવણ કરી રહયા છીએ ત્યારે હું શિવ ભકતો આપની ઉપાસના આરાધના અભિષેકનું શ્રેષ્ઠ ફળ દાઢી-મૂછ વધારવાથી નહીં પણ આ માસના આ તપ દરમ્યાન જે વ્યસનો ગુટકા તમાકુ બીડી સિગારેટ અફીણ મદિરા છીકણી બજારનો ત્યાગ કરેલ છે તે કાયમી ત્યાગ જ રાખશો. તન મનની સાથે પરિવારમાં પણ આનંદ ઉત્સાદમાં વૃદ્ધિ થશે. સાચા અર્થમાં શિવ ઉપાસના આરાધના અભિષેક ફળ્યા તેવું લાગે આ વાત શ્રાવણ માસના શિવ મહિમા ૨૦માં ઓમકારેશ્વર જયોર્તિલિંગ વિષેનો ચોક્કસ ધ્યાનમાં રાખશો. આજે આપણે શ્રાવણ માસમાં મહિમા જાણીએ ઓમકારેશ્વર તિર્થ દેવાધિદેવ સદાશિવ ભગવાન ભોળનામ મહાદેવને સમર્પિત શિવાલય છે, ભગવાનશિવના બાર જ્યોતિર્લિંગ માંનું આ એક છે.
આ શિવાલય મોંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકાર ૐ જેવો છે. અહીં બે શિવાલય આવેલા છે,ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન પણ હાશ જ્યોતિલિંગના લૉક અનુસાર, મામલેશ્વર જ્યોતિર્લિંગ છે,જે નર્મદા નદીની પેલે પાર આવેલું છે. ઓમકારેશ્વર જ્યોતિલિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે. પ્રથમ કથા એ વિષ્ણુ પર્વત વિષેની છે.એક સમયે નારદ મુનિ બ્રહ્માજીના પુત્ર કે જેઓ પોતાના અખંડ વિશ્વમાં માટે જાણીતા છે તેમણે વિધ્ધ પર્વતની મુલાકાત લીધી.પોતાની તીવ્ર પાણીમાં તેમણે વિધ્યને મૈરુ પર્વતની મહાનતા મેરુ કરતાં મોટા બનવાનો નિર્ણય કર્યો.
મેરુ કરતાં મોટા બનવા વિધ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. વિદ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પુજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવે વિદ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિ આવે.વિધ્ધ વધવાનું રહેલુ કર્યું તેમનું પોતાનું વચન ન પાળ્યું. તે સુધ અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિ મુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં,અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિધ પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પતિ પાછાં નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં શ્રીશૈલમમાં સાથી થયાં જેને ત્યારથી દક્ષિણનું કાશી કહેવાય છે અને તે દ્વારા જ્યોતિર્લિંગમાંનું એક છે. એક અન્ય કણા રાજ મંધનને સંબંધિત છે.
ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા ગંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અનીયો તિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હોવાનું મનાવ્યાં હતાં. અમુક વિદ્વાનો માને છે કે બંધત રાજાના પુત્રો નિરશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરેલ હતાં. આને કારણે તે પર્વતનું નામ નકંપાત પવન પડ્યું છે.એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું જેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમ જનક વાત હતી.
બ્રહ્માણી માતાજી તથા શ્રી આથી તેમણે ભગવાન શિવની આરાધના કે નવાયાં કરી. તેમની આરાધના ના ફળ સ્વરૂપે ભગવાન શિવ ખાતે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત ક્યાં. આજે મંગળવારને શ્રાવણ વદ -૬નું રાંધણ છઠ્ઠ પર્વ. ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવની ઉપાસના આરાધના અભિષેક એકટાણા સુખડીનું નૈવેદ્ય ધરાવવામાં ઉપવાસ કરતાં કરતાં શ્રાવણ માસના વીસ દિવસ પુરા થયા મેઘરાજાની સારી મહેરે ભોળાનાથ કરે તેવી પ્રાર્થના હવે સાંભળે તેવું લાગે છે.આગામી સમય શ્રેષ્ઠ બની રહેશે, રશિયા યુકેન વચ્ચેનું યુધ્ધ શાંત થાય, સર્વભવંતુ સુખીન … બસ બધા શાંતિથી જીવે.. સદા શિવ ભોળાનાથ શંભુ દેવાધિદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે અસ્તુ.
*યશપાલસિંહ ટી વાધેલા શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*