સિનિયર સિટિઝનની આ તીર્થયાત્રામાં 115 લકઝરી તથા 250 કારનો કાફલો આજે શંખલપુર પહોંચશે
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના આ તીર્થયાત્રામાં 4000 સનિયિર સિટિઝનો જોડાયાં છે
ગરવી તાકાત, મહેસાણા તા. 28- ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ ઇતિહાસ સર્જવા જઇ રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના સિનિયર સિટીઝનોએ પ્રથમ તીર્થયાત્રાનો પ્રારંભ આજે સાંજે શુક્રવારે શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આવેલા બહુચરાજી માતાના મંદિરે દર્શન કરીને તીર્થયાત્રાનો પ્રારંભ કરનાર છે.
ગુજરાતના પ્રખ્યાત તીર્થધામોની યાત્રામાં લેઉવા પાટીદાસ સમાજના 4 હજાર સિનિયર સિટિઝન આ તીર્થયાત્રાનો હિસ્સો બનનાર છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓને લઇને શંખલપુર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શંખલપુરમાં આવેલા બહુચર માતાજીના મંદિરને રંગબેરંગી ફુગ્ગા અને રોશનીથી સજાવવામાં આવ્યું છે. તો મંદિરના ગર્ભગૃહને 5200 વર્ષ પહેલાં માતાજીના પ્રાગટ્ય સમયે વરખડીના વનમાં જેવો માહોલ હતો તેવી આબોહૂબ રચના કરવામાં આવી છે.




