18 જૂન, 2023 ના રોજ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય જાટ સંસદના 10મા સંમેલનમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 29- 28-05-2023 રવિવારના રોજ શ્રી કેશવ અર્બુદા ભવન મહેસાણા ખાતે “આંતરરાષ્ટ્રીય જાટ સંસદની સંવાદ સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કન્વીનર શ્રી રામાવતાર પલસાનિયા, કન્વીનર શ્રી પરમેશ્વર કલવાનિયા, ગુજરાતના પ્રતિનિધિ શ્રી અનિલ બૈનીવાલ અને તેમની આખી ટીમ સંમેલનમાં હાજર રહી હતી.

ચૌધરી અને જાટ ચૌધરી એકતા માટે આહવાન કરતા, સમગ્ર આંજણા ચૌધરી સમુદાયને પરિવાર સાથે 18 જૂન, 2023 ના રોજ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય જાટ સંસદના 10મા સંમેલનમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું. સંવાદ બેઠકમાં મહેસાણા અને આસપાસના વિસ્તારના જાટ અને આંજણા ચૌધરી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.



