રસ્તાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણી નો બહિષ્કાર કરવા ગામ લોકો એ ચીમકી આપી

August 13, 2022
ગરવી તાકાત સરસ્વતી પાટણ : સરસ્વતી તાલુકાના ગોલીવાડા થી કાંકરેજ તાલુકાના દેવપુરા ગામ ને જોડતો 2 કિલોમીટર નો ધુળીયો કાચો માર્ગ પાકો કરવા ગામ લોકો એ ઉગ્ર માંગણી કરાઈ છે.આગામી સમયમાં આ રસ્તાનો નિરાકરણ ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ તેઓ એ ચીમકી ઉચ્ચારી છે.વધુમાં આ બે કિલોમીટર નો કાચો રસ્તો ચોમાસામાં લોકોના માથાના દુખાવા સમાન બની જાય છે
ને કાદવ કીચડથી તેમ જ કેડ સમા પાણી ભરાઈ જાય છે.ત્યારે ગામની પ્રાથમિક શાળા આવતા નાના બાળકો તેમ જ પશુપાલકો તેમ વૃદ્ધ લોકો દવાખાના નો પ્રશ્ન હોય ત્યારે બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે અને તેમાં જીવનું જોખમ રહે છે.તંત્રમાં એકવાર આ રસ્તા વિશે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.
જેથી ગામના લોકોએ એવું જણાવ્યું છે કે આગામી ચૂંટણીમાં આ રસ્તાનું નિરાકરણ તેમજ અમારા પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું.ગોલીવાડા ગામ થી બે કિલોમીટર અંતરે જોગમાયા પરુ આવેલું છે તેમજ કાંકરેજ તાલુકાના દેવપુરા અને ગોલીવાડા ગામ ના 500 થી ઉપર લોકોનો વસવાટ ખેતરમાં છે.
ત્યારે ખેતીકામ તેજ પશુપાલકોને ડેરીના દૂધ ભરાવા તેમજ શાળા એ આવતા બાળકોને રસ્તા ઉપરથી જીવના જોખમે ચાલવું પડે છે.ત્યારે આ રસ્તાની વાત સરકારે વહેલી તકે ધ્યાને લઇ અને તેનું જલ્દી નિરાકરણ આવે તેવી લોક માંગણી છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0