— બનાસકાંઠાના થરાદ પંથકમાં પેસેન્જરોમાં ફરતી ખાનગી ગાડીયો ઉપર કઠેડા હોય છે :
ગરવી તાકાત થરાદ : બનાસકાંઠાના થરાદ પંથકમાં પેસેન્જરોમાં ફરતી ખાનગી ગાડીયો ઉપર કઠેડા હોય છે જેમાં ગાડીઓના ચાલકો મુસાફરોને કઠેડા ઉપર બેસાડી મોતની મુસાફરી કરાવી રહ્યા હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને ધ્યાને આવતાં જિલ્લાના તમામ પોલીસ મથકે સૂચનાઓ આપતાં થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી ગાડીઓના કઠેડા ઉતરવાની કામગીરી હાથ ધરી છે
જેથી ખાનગી ગાડીઓના ચાલકો માત્ર ગાડીની અંદર મુસાફરોને બેસાડી શકશે જેથી મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવામાં પોલીસ તરફથી રાહત મળી છે જેમાં ગ્રામીણ વિસ્તારોના મુસાફરો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ


