યાત્રાધામ બાલારામ ખાતે માં દશામાની માટીની સાંઢણી પધરાવવા લોકોની ભારે ભીડ જામી 

August 18, 2021
Balaram
આજે દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતાં જાગરણ બાદ પાલનપુર તાલુકાના યાત્રાધામ બાલારામ ખાતે દશામાની સાંઢણી પધરાવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ દરમ્યાન દશામાના વ્રતનો અનેરો મહિમા હોય છે. શ્રાવણ માસ શરૂ થતાં ના એક દિવસ અગાઉ અમાસના દિવસે માં દશામાનું વ્રત મહિલાઓ લેતી હોય છે.

દર વર્ષે દશામાના વ્રતના ૧૦ દિવસ પૂર્ણ થયા બાદ રાત્રે જાગરણ કરીને બીજા દિવસે વહેલી સવારે પંથકમાં આવેલ નાળા અને નદીઓમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે. મહત્વનું છે કે આજે દશામાના વ્રતની પુર્ણાહુતી થતાં પાલનપુર તાલુકાના યાત્રાધામ બાલારામ ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માં દશામાની સાંઢણી પધરાવવા માટે ઉમટી પડયાં હતા. જોકે ચાલુ વર્ષે નદીમાં નહિવત વરસાદને પગલે પાણી ન આવ્યું હોવાથી પાણી વગર જ નદીના પટમાં સાંઢણીઓ મૂકીને લોકો રવાના થઇ ગયાં હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0