)
પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાડે 28 એપ્રિલ 24ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું હતું. આ ઓપરેશન જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સહયોગ કર્યો હતો. જે સફળ ઓપરેશનમાં પરિણમ્યું હતું.
ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથીઅને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.
14 પાકિસ્તાનીઓ પણ ઝડપાયા – પાકિસ્તાની બોટને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને પોરબંદર લાવવામાં આવી રહી છે. ICG અને ATSની સંયુક્તતા, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી થઈ છે, જે રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે સિદ્ધ થઈ છે.