ઈડર તાલુકા ના
કાનપુર ગામ નાં રહીશ પટેલ ભીખાભાઈ (બિપીનભાઇ) વિરસંગભાઈ ની દિકરી અને ચોરીવાડ ગામનાં પટેલ ભરતભાઈ લાલજીભાઇ ના પુત્રવધુ એવા ચૌધરી નિધીબેન એ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા માં “મનુસ્મુતિ અને શિક્ષાપત્રીનો તુલનાત્મક અભ્યાસ” વિષય પર પી એચ.ડી. ની પદવી હાસલ કરી છે ત્યારે માનનીય કુલપતિ હરિભાઈ કટારીયા , રજીસ્ટાર અનિલભાઈ સોલંકી , વિષય નિષ્ણાંત હેતલબેન પંડ્યા, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ભાવપ્રકાશ ગાંધી ના સાનિધ્યમાં પ્રાપ્ત કરી છે આંજણા ચૌધરી સમાજ ઈડર તથા કાનપુર અને ચોરીવાડ ગામનું નામ રોશન કર્યુ છે તેઓએ કાનપુર ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી, ડી. કે. પટેલ હાઈસ્કૂલ માં માધ્યમીક શિક્ષણ પાપ્ત કરી, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સર પ્રતાપ હાઈસ્કૂલ ઇડરમાં મેળવ્યુ હતું. સ્નાતક શિક્ષણ ટી. એમ. શાહ કોલેજ, ઇડરમાં મેળવીને ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરામાં પીએચ. ડી. ની પદવી એસોસીયેટ પ઼ોફેસર કે. કે. અમીન ના ગાઈડમાં તથા પ્રિન્સિપાલ ડૉ. દિનેશભાઈ માછી બાલાસિનોર કોલેજના માર્ગદર્શન હેઠળ મેળવી છે. તેમજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી પામી સેવા આપી રહ્યા છે. ઉપરાંત શિક્ષણ આપનાર ગુરુજનો પરિવારના સભ્યો ગ્રામજનો અને તમામ સાથી મિત્રૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાકેશ નાયક, ગરવી તાકાત ઇડર

