પર્યાવરણ પ્રેમીઓએ વનવિભાગ ને જાણ કરતા વનવિભાગે તપાસ હાથ ધરી
કડી તાલુકાના આદુદરા ગામ પાસે નર્મદા કેનાલ ઉપર કોઈ અજાણ્યા ઇસમે વનવિભાગ દ્વારા ઉછેરવામાં આવેલા ઝાડ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો
કડી શહેરની બાજુમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે તેની બાજુમાં વનવિભાગ દ્વારા વૃક્ષોનુ વાવેતર કરી ઉછેર કરવામાં આવ્યો છે.તાલુકાના આદુદરા ગામ પાસે કેનાલની બાજુમાં રહેલા અરડુસા ના ઝાડ કોઈ અજાણ્યા ઇસમે કાપી નાખ્યા હતા.આશરે 1 વર્ષની ઉંમરના અરડુસા ના ઝાડ કોઈ ઇસમે કાપી નાખ્યા હતા જે પર્યાવરણ પ્રેમીઓની નજરમાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.પર્યાવરણ પ્રેમીઓએ આ અંગે કડી વિસ્તરણ રેન્જ કચેરીને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા.વનવિભાગના મુકેશભાઈ સહિતના અધિકારીઓએ કપાયેલા ઝાડ ની જગ્યાનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
કડી વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ.લીલાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે કેનાલ ઉપર વનવિભાગ દ્વારા ઉછેરવામાં આવેલ આશરે 1 વર્ષની ઉંમરના અરડુસા ના ઝાડ કોઈ ઇસમે કાપી નાખ્યા હોવાની માહિતી મળી હતી જેથી વનવિભાગના કર્મચારીઓને સ્થળસ્થિતિ ની તપાસ કરવા મોકલી આપ્યા છે જે ઇસમે ઝાડ કાપ્યા હશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.કડી ની અંદર આગાઉ પણ થોડા દિવસ પહેલા થઈ રહેલ વૃક્ષો નું છેદન સામે કાર્યવાહી કરવામાં આવી હોય તો ફરીથી આ વૃક્ષો નું છેદન થતાં અટક્યા હોત
કડી તાલુકા ની અંદર કે આજું બાજુ ના ગામડાઓ ની અંદર મસમોટા વૃક્ષો નું વર્ષો પહેલા ઉછેર કરવામાં આવ્યો હોય છે અને તે વૃક્ષ હાલ ધીરે-ધીરે મોટા વૃક્ષ બનતા નજરે જોવા મળી રહેતા હોય છે ત્યારે કડી ની અંદર અમુક લોભિયા લોકો વૃક્ષોનું છેદન કરેલા વાહનો ની હેરાફેરી અગાઉ પણ નજરે પડ્યા હતા જેનો અમારા મીડિયાના માધ્યમથી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તો વનવિભાગના અધિકારીઓ એ અહેવાલ ને ધ્યાને રાખીને જે તે સમયે વૃક્ષોનું છેદન થયું તે લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો ફરીથી જે કડી ની અંદર આ વૃક્ષો નું પણ છેદન જોવા મળી રહ્યા છે તો તેને અટકાવી શકાય હોત અને આ જે વૃક્ષો કપાય છે તે માણસો ના વિરુદ્ધ તેની સામે યોગ્ય માં યોગ્ય કાર્યવાહી થાય તેવી સૌ પર્યાવરણ પ્રેમીઓની માંગણી ઉભી થઇ છે
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી