પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓને જામીન અપાયા

May 18, 2021
પાલનપુર ખાતે આવેલી જિલ્લા સબજેલમાંથી સોમવારે 15 જેટલા કાચા કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.જેમાં સાત વર્ષથી ઓછી સજાના કેદીઓ તેમજ ભરણપોષણ ના કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
કોરોના ના વધતા જતા કેસોને લઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાતની તમામ સબજેલોમાંથી સાત વર્ષ થી ઓછી સજા ભોગવતા હોય તેવા ને જમીન આપી મુક્ત કરવામાં આવી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાંના મુખ્ય મથક ખાતે આવેલી સબ જિલ્લા જેલમાંથી સોમવારે 15 જેટલા કાચા કેદીઓને જામીન આપવામાં આવ્યા હતા .જેમાં 7 કાચા કામના કેદી,અને 8 ભરણપોષણના સજા ભોગવતા કેદીઓને જામીન આપવામાં આવ્યા હતા.આ બાબતે જેલ અધિક્ષક વી.પી.ગોહિલે જણાવ્યું હતું કે,કોવિડ 19 ની બીજી લહેરની મહામારીને ધ્યાને રાખી ગુજરાત હાય પાવરના સૂચના મુજબ 7 વર્ષથી ઓછી સજા હોય તેવા કાચા કામના 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.આ કેદીઓને 30 દિવસે એકવાર નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરવામાં આવશે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0