ગરવી તાકાત મહેસાણા : દેલવાડા પુલ ભારે વાહનો માટે બંધ કરાતાં ચાણસ્મા અને પાટણ તરફ જતી એસટી બસો હવે શંખલપુર, ડોડીવાડા અને આદિવાડા માર્ગે દોડે આ માર્ગ સિંગલપટી છે. રસ્તાની બંને બાજુ ગાંડા બાવળના ઝુંડ ઊગી નીકળ્યાં વળાંક પર સામેથી આવતું વાહન દેખાતું નથી. જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું.

આદિવાડા-ખાંભેલ ચાર રસ્તા વચ્ચે સોમવારે સાંજના રિક્ષા અને ટર્બો સામસામે આવી જતાં અકસ્માત થયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ રિક્ષાચાલક સહિત ત્રણ જણને નાની મોટી ઇજાઓ થઈ. શંખલપુરથી ખાંભેલ ચાર રસ્તા સુધીના માર્ગ પર ગાંડા બાવળ ઊગી નીકળ્યા હોઈ અકસ્માતની સંભાવના અગાઉ દર્શાવી છતાં માર્ગ અને.
![]()
મકાન વિભાગ દ્વારા બાવળો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ નથી. બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક રસ્તાઓની સ્થિતિ આવી. એસટી બસોને ડાયવર્ઝન અપાયું તેથી આ માર્ગો પર જંગલ કટિંગ કરાવવું ખૂબ જરૂરી માર્ગ અને મકાન વિભાગે વધુ ઉદાસીનતા દાખવશે તો ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાઈ શકે.


