ગરવી તાકાત મહેસાણા : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી 6 માર્ચ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીને લઈને મહેસાણા કોર્ટ સંકુલમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો આ ચૂંટણીમાં મહેસાણાથી પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય કિશોર આર. ત્રિવેદીએ પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક વકીલ મંડળમાં ખુશીની લહેર જોવા મળી મહેસાણાના વકીલો મોટી સંખ્યામાં કિશોર ત્રિવેદીના સમર્થનમાં ઉતરી આવ્યા.

મહેસાણા વકીલ મંડળ દ્વારા કિશોર ત્રિવેદીના સમર્થનમાં કોર્ટ સંકુલમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું વકીલ દ્વારા તમામ મતદાર સભ્યોને અપીલ કરવામાં આવી કે, કિશોર ત્રિવેદીને પ્રથમ ક્રમની પસંદગીનો મત આપી પ્રચંડ બહુમતીથી વિજયી બનાવે આ અંગે વિગતો આપતા મહેસાણાના વકીલ આર.એન. બારોટે જણાવ્યું કે, આગામી 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનાર જેમાં અનુભવી નેતા કિશોર આર. ત્રિવેદીએ ઉમેદવારી કરી.

તેઓ અગાઉ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા અને હાલમાં પણ સભ્ય અમે તમામ વકીલો તેમના પ્રચાર માટે એકઠા થયા કિશોર ત્રિવેદીનો સિરિયલ નંબર 89 જેની સામે પ્રથમ પસંદગીનો ક્રમ (નંબર 1) આપી તેમને વિજેતા બનાવવા માટે અમે સૌ વકીલોને વિનંતી કરી રહ્યા છીએ સમગ્ર મહેસાણા કોર્ટ સંકુલમાં હાલ આ ચૂંટણીલક્ષી માહોલ જામ્યો અને કિશોર ત્રિવેદીના વર્ષોના અનુભવને જોતા વકીલોમાં તેમને ફરીથી કાઉન્સિલમાં મોકલવા માટે ભારે આશાવાદ જોવા મળી રહ્યો.


