આસ્થા અને શ્રધ્ધ‍ાનું પ્રતિક એટલે થરાદ તાલુકાના રાજકોટ ગામમાં આવેલ રામાપીરનું મંદિર

September 17, 2021
રાજસ્થાન ના બાડમેર થી ૧૦૦ કિલોમીટર દૂર આવેલ  રણુજામાં બાબા રામદેવપીર નું મોટું મંદિર આવેલું છે ત્યાં ભગવાન રામદેવ પીર ની સમાધિ આવેલ છે ત્યાં પણ શ્રધ્ધાળુ અને ભક્તો પગપાળા પોતાની માનતાઓ પૂરી કરવા મોટી સંખ્યામાં જાય છે તેવી જ રીતે સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પણ રામદેવ પીર નું મંદિર આવેલું છે ત્યાં પણ લોકો આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે.

આ પણ વાંચો – પાલનપુરની લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયર રૂપિયા ૩૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા

આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં ચૌહાણ (છીપા) હકમાજી અણદાજી ને સાક્ષાત ભગવાન રામદેવપીર ના દર્શન થયા હતા ત્યારે તેમણે પોતાના જ ગામ રાજકોટમાં ભગવાન રામદેવપીરના મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારથી કરીને આજ દિવસ સુધી રાજકોટમાં ભાદરવી સુદ નોમ ના દિવસે તેમના ત્રણ દીકરા હિંમતભાઈ હકમાજી, પ્રવીણભાઈ હકામાજી, હિતેન્દ્રભાઇ હકમાજી તથા ગ્રામજનો અને આજુબાજુ ના ગામના ભકતો દ્વારા નેજા ચડાવવામાં આવે છે અને રામદેવપીર મહારાજ પણ તેના ભક્તો ને  કોઈપણ સંકટ હોય તો બચાવી લે છે. ભક્તો પણ આજના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0