પાલનપુરના બ્રાહ્મણવાસના બે પજર્જરિત મકાનો ઉતારવાનું કામ અધૂરૂ મૂકી દેવાતા સ્થાનિકોએ રજુઆત કરી

October 4, 2021
સ્થાનિક રહીશો દ્વારા ફરી ચીફ ઓફિસર અને કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી
 
પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે યાત્રિક ભવનની ગલીમાં બ્રાહ્મણવાસમાં આવેલા બે ભયજનક મકાનો જર્જરિત હાલતમાં હોઈ પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ મકાનો ઉતરાવી લેવામાં આવે તેવી લેખિત રજૂઆત બ્રાહ્મણવાસના રહીશો દ્વારા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને તા.૧૩. ૦૯. ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. જેથી પાલિકા તંત્ર દ્વારા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સુરત અને મુંબઇ મુકામે રહેતા મકાન માલિકોનો ફોન ઉપર સંપર્ક કરી તેમને પાલનપુર બોલાવીને મકાન ઉતારવાની કડક સૂચના આપતા તેઓએ મકાન ઉતારવાનું કામ ચાલુ તો કર્યું હતું. પરંતુ તેઓ ઉપરનો માળ ઉતારીને બાકીનું કામ પડતું મૂકીને સુરત તથા મુંબઇ જવા રવાના થઈ ગયા હતા.

જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે અગાઉ આ મહોલ્લાના રહીશોએ ફરીથી કલેકટર અને ચીફ ઓફિસરને તા. ૧.૧૦.૨૦૨૧ ના રોજ લેખિત રજુઆત કરી આ બંને ભયજનક મકાનો ઉતરાવી લેવા બંને મકાન માલિકોને કડક સૂચના આપવામાં આવે તેવી માંગ કરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0