બોમ્બે હાઇકોર્ટે બે દાયકા જુના અપહરણ અને હત્યાના એક ચર્ચિત મામલામાં દોષિત બેનો રેણુકા શિંદે અને સીમા ગવિતની ફાંસીની સજાને ઉમ્રકેદને ઉમ્રકેદમાં બદલી નાખી છે.ફાંસીની સજા બાદ બંન્ને બહેનોની દયા અરજી રાજય સરકારની પાસે લગભગ આઠ વર્ષથી લંબિત હતી જેના આધાર માનતા કોર્ટે ફાંસીની સજાને ઉમ્રકેદમાં ફેરવી દીધી છે.
રેણુકા શિંદે અને સીમા ગવિતને ૧૯૯૦થી ૧૯૯૬ની વચ્ચે કોલ્હાપુર જીલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં ૧૩ બાળકોના અપહરણ કરવા અને જેમાંથી સાતની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી બાળકોના અપહરણ અને હત્યામાં બંન્નેની માતા અંજનબાઇ પણ સામેલ હતી જાે કે કેસ શરૂ થવા પહેલા જ વર્ષ ૧૯૯૭માં માતાનું મોત થયુ હતું.
રેણુકા શિંદે અને સીમા ગવિત બંન્ને બહેનો પોતાની માતાની સાથે મળી માસૂમ બાળકોના અપહરણ કરી તેમની પાસે અપરાધ કરાવતી હતી અને હેતુ પુરો થતા તેમની નિર્મમ હત્યા કરી દેતી હતી પકડાય ત્યાં સુધી ત્રણ મહિલાઓ ૧૩ બાળકોના અપહરણ અને ૧૦ બાળકોની હત્યાને પરિણામ આપી ચુકી હતી માં અંજનીબાઇ ગવિતની પકડાય સુધી એક વર્ષ બાદ જ મોત થઇ ગયું હતું જયારે બંન્ને બહેનોને વર્ષ ૨૦૦૨૧માં કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
૨૦૦૧માં કોલ્હાપુર ટ્રાયલ કોર્ટે બંન્ને બહેનોને મોતની સજા સંભળાવી હતી અને ૨૦૦૪માં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો જયાં અદાલત તરફથી અપીલને રદ કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રપતિની પાસે દયા અરજી લગાવી હતી જેને ૨૦૧૪માં રદ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિની પાસેથી દયા અરજી રદ થયાના લગભગ આઠ વર્ષ બાદ બંન્ને બહેનોએ એકવાર ફરી હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો બંન્ને બહેનોએ હાઇકોર્ટની સામે દલીલ હતી કે સુપ્રીમ કોર્ટ તરફથી ફાંસી પર મહોર લગાવવા અને રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી રદ થવાની વચ્ચે લગભગ આઠ વર્ષ સુધી રાહ જાેવી પડી બંન્ને બહેનોમાં આઠ વર્ષના સમયને યોગ્ય બતાવ્યો અને દલીલ આપી કે આ દરમિયાન તેમને અત્યાધિક માનસિક યાતના સહન સહન કરવી પડી
પ્રક્રિયા અનુસાર એકવાર જયારે સુપ્રીમ કોર્ટે મોતની સજાની પુષ્ટી કરતા તો દોષી ભારતના રાષ્ટ્રપતિની સમક્ષ દયા અરજી દાખલ કરી શકે છે ક્ષમા માંગી શકે છે રાષ્ટ્રપતિની સમક્ષ દયા અરજી દાખલ થયા બાદ રાજય સરકારનો મત માંગવામાં આવે છે જેના આધાર પર રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કર્યા બાદ જેમાં દયા અરજીઓનો ઉકેલમાં સાત વર્ષ ૧૦ મહીના અને ૧૫ દિવસનો વિલંબ થયો અમને ખબર છે કે તેના માટે પુરી રીતે અધિકારી સરકારો ખાસ કરી રાજય સરકાર જવાબદાર છે.હાઇકોર્ટે બંન્ને બહેનોની અરજી પર સુનાવણી ૨૨ ડિસેમ્બરે પુરી કરી આદેશ સુરક્ષિત રાખ્યો હતો ત્યારબાદ કોર્ટે મામલામાં પોતાનો નિર્ણય સંભળાવ્યો
(ન્યુઝ એજન્સી)