વડગામમાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને પગાર ન ચૂકવાતા શ્રમિકોનો કલેક્ટર કચેરીમાં જોરદાર વિરોધ
છેલ્લા બે મહિનાનો પગાર ન મળ્યાનો આક્ષેપ, જિલ્લામાં 7 કરોડથી વધુ રકમ ચૂકવવાની બાકી
વડગામ તાલુકાના મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોએ આજે જિલ્લા કલેકટર કચેરીમાં પોતાનો પગાર ન ચુકવતા આવેદનપત્ર આપવા આવ્યા હતા. જ્યાં આક્ષેપો કર્યા કે અમારા ખાતામાં છેલ્લા એ મહિનાથી પગાર ન ચૂકવતા ગુરૂવારે કલેક્ટર કચેરી આવી હમારી માંગે પુરી કરોના નારા સાથે જિલ્લાની કચેરી ગજવી હતી.



કોરોનાની કપરી પરિસ્થિતીમાં સાધન સંપન્ન લોકો પણ જ્યારે 1 -1 રૂપીયા માટે વખલા મારી રહ્યા છે ત્યારે મનરેગાના મજુરોને તેમની કાળી મજુરીના પૈસા નહી આપવામં આવતાં ક્યાંક ને ક્યાંક રાજકીય કીન્નાખોરીનો શીકાર આ ગરીબ લોકો બની રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આ બાબતે આદોલન કરી રહેલા વર્કરોની સાથે જીગ્નેશ મેવાણીએ સરકાર ઉપર નિર્દયી હોવાનો આરોપ મુક્યો હતો. જેમા તેમને સીધો નરેન્દ્ર મોદી ઉપર પણ પ્રહારો કર્યા હતા. આ સીવાય તેમને એમ પણ કહ્ય હતુ કે, માત્ર પાલનપુર જ નહી પરંતુ આખા ગુજરાતમાં જ્યાં પણ ખોટી રીતે મનરેગાના વર્કરોનુ પેમેન્ટ રોકી દેવામાં આવ્યુ હશે તેમના વતી તેઓ અવાજ ઉઠાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી વેવમાં વડગામના ધારાસભ્યે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની મોહિમ ઉપાડી હતી. જેને કારણે જીજ્ઞેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલા ભાજપના તાલુકાના નેતાઓ દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવી પક્ષ વિપક્ષના તાલુકા સદસ્યોને વિશ્ર્વાસમાં લઈ તમામ તાલુકા સદસ્યો ની 2021-22 ની વિકાસની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવી હતી જેની સત્તાવાર રીતે મે મહિનાના અંતે મંજૂરી મળી હતી. જેથી આ મામલે વડગામ મતવિસ્તારમાં ચર્ચા થઈ હતી કે જીગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ગડમથલ કરી તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ મંજુર કરવાની કામગીરી હાથ ધરી હતી અને ખોટો જસ ખાટવા માટે વડગામ ખાતે ટોળા પણ ભેગા કર્યા હતા.