પાલનપુર નગરપાલિકાએ બાકી કર મામલે 3 દુકાનોને સિલ કરી

July 30, 2022

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુર નગરપાલિકા દ્રારા વિવિધ વેપાર ધંધાનો બાકી વ્યવસાય વેરાની વસુલાત કરવા જેમાં બાકી કર મામલે શહેરના ૮૫ જેટલા વેપારીઓને નોટીસો અપાઈ. અને ધણીયાણા ચાર રસ્તા વિસ્તારમાં કર ન ભરનાર વેપારીઓની 3 દુકાનો સિલ કરી સ્થળ પર ૫૪ હજાર ઉપરાંતની વસુલાત કરવામાં આવી.

પાલનપુર પાલિકાની વ્યવસાય વેરા શાખા દ્રારા વેપારીઓના બાકી લહેણાની વસુલાત કરવા વેરા વસુલાત ઝૂબેશ હાથ ધરવામાં આવી  જેમાં વ્યવસાય વેરા અધિકારી કમલેશ ત્રિવેદી અને તેમની ટીમે બાકી કર મામલે ૮૫ જેટલા વેપારીને પાલિકાનું બાકી લહેણુ ભરપાઈ કરી જવા નોટીસો ફટકારવામાં આવી છે.

અને બાકી કર મામલે ધણીયાના ચાર રસ્તા વિસ્તારની જુદીજુદી 3 દુકાનોને સિલ કરી સ્થળ પર બાકી કર રૃ.૫૪.૮૪૨ ની વસુલાત કરવામાં આવતા વ્યવસાય વેરાની વસુલાત માટે પાલિકાની દુકાનો સિલ કરવાની કડક કાર્યવાહીને લઈ શહેરના અન્ય બાકીદાર વેપારી ઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0