600 જેટલા રહીશોનો વેરો હજુ બાકી, 10 કર્મચારીઓની ટીમ તૈયાર કરવામાં આવી
પાલનપુર શહેરમાં વેરો ન ભરનારાઓ ની મિલકત નગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા 100 જેટલા લોકોને નોટિસ ફટકારવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 10 જેટલા કર્મચારીઓની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો – મહેસાણામાં પાણીના મામલે મહિલાઓએ પાલિકા ગજવી ત્યારે પ્રમુખે કહ્યું વેરો ભરો પછી ફરિયાદ કરો
