ચીન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો પાછો નહી ખેંચાય : ભારત સરકાર

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારત ચીન ની સરહદ વિવાદને કારણે ભારતીય સરકારે ઘણી બધી ચાઈનીઝ એપ ઉપર પ્રતીબંધ મુક્યો હતો, આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાઈનીઝ પ્રોડક્ટનો બહીષ્કાર કરવાની અપીલ પણ કરી રહ્યા હતા. જેને આગળ ધપાવતા પી.એમ દ્વારા નવો નારો અપાયો હતો vocal for local. જે અંતર્ગત ભારતીય વેપારીઓને પ્રોત્સાહન  આપવામાં આવે એવી પહેલ સરકાર દ્વારા કરવામાં આવશે એવો પ્રચાર પણ જોર શોર થી સરકાર દ્વારા કરાયો હતો.


 

જે અંગે અત્યારે ચાલ રહેલી સંસદમાં સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે ભારત સરકાર ચીનને શબક શીખવવા માટે ચીન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેશે ખરી એ અંગે સરકારે લેખીતમાં જવાબ આપ્યો હતો, નહી. આવી કોઈ દરખાસ્ત ઉપર  વિચારણા અમે નથી કરી રહ્યા. સરકારના આ જવાબને લઈ કોન્ગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્ટવીટ કરી સરકાર ઉપર નીશાન તાકતા લખ્યુ હતુ કે સરકારને જ્યારે પુછવામાં આવે કે ચીન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવામાં આવશે? ત્યારે સરકાર ને લાગે છે કે દેશને મુર્ખ બનાવવા માટે એપ ઉપર પ્રતીબંધ પુરતો છે. તેમને કરેલુ આ ટ્ટીટ ખુબ વાઈરલ થઈ રહ્યુ છે. 

અત્યારે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે જે 1લી ઓક્ટોમ્બર સુધી ચાલશે, આ ચોમાસુ સત્ર અત્યારે ગર્માગરમી માં ચાલતુ હોવાથી ચર્ચાનો વિષય બની ગયો છે, કેમ કે  સરકાર દ્વારા વિવાદીત કૃષી સંબધીત બીલો પસાર કરતવામાં આવ્યા હતા. જેમાં ખેડુતો ની નારાજગી વચ્ચે પણ કૃષી બીલ પસાર કરી દેવાતા વિપક્ષી પાર્ટીઓને મોકળુ મેદાન મળી ગયુ હતુ,તથા લદ્દાખમાં ભારતીય જવાનોની શહીદી અને ચાઈના દ્વારા કરવામાં આવેલી ઘુસણખોરીને પણ વિપક્ષે સંસદમાં મુખ્ય મુદ્દો બનાવી સરકારને ઘેરી રહી છેે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.