કર્ણાટકમાં PWD એન્જીનીયરના ઘરે પડેલા ACB ના દરોડમાં પાણીની પાઈપમાંથી પૈસા નીકળી આવ્યા!

શેર કરવા અહીં ક્લિક કરો.

કર્ણાટકના એન્ટી કરપ્શન બ્યૂરા પબ્લિક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો અને પાઇપમાંથી રૂ. 500ની મોટી નોટો બહાર કાઢી. આ રકમ આશરે રૂ.10 લાખની હોવાનું કહેવાય છે. તે જ સમયે, છત પરથી 6 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આરોપી સરકારી અધિકારીઓ પર રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે, કાલબુર્ગી જિલ્લામાં પીડબ્યુડી જાેઈન્ટ એન્જિનિયર શાંતા ગૌડા બિરાદરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિરાદરના ઘરે દરોડા દરમિયાન બ્યુરોના અધિકારીઓએ ૪૦ લાખ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે.

સૂત્રો દ્વારા અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે, તેમના નિવાસસ્થાનની પાઇપલાઇનમાં રોકડ છુપાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, અધિકારીઓએ એક પ્લમ્બરને બોલાવ્યો, જેણે પાઇપલાઇન ખોલી અને તેની અંદર છુપાવેલી નોટો બહાર કાઢી. આ ઘટનાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓ અને પ્લમ્બર પાઇપના કેટલાક ભાગોને અલગ કરતા જાેઈ શકાય છે. આ પાઈપોમાંથી ફરીથી નોટો કાઢવામાં આવી હતી. દેખીતી રીતે, આ પાઈપો બતાવવા માટે બનાવવામાં આવ્યા હતા, હકીકતમાં તે બિનહિસાબી નાણાં છુપાવવાનો એક માર્ગ હતો.

આ દરોડાએ રાજ્યવ્યાપી કાર્યવાહીનો એક ભાગ હતો જે એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્યભરમાં હાથ ધર્યો હતો. આ દરમિયાન બ્યુરોએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં ૧૫ અધિકારીઓ સામે 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. બ્યુરોએ તાજેતરમાં બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા રજૂ કરાયેલા અહેવાલના આધારે પગલાં લેશે. તાજેતરમાં, એક પ્રશ્નના જવાબમાં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ સ્વરૂપમાં ભ્રષ્ટાચારને સાંખી લેશે નહીં. અમારી સરકાર કડક પગલાં લેશે અને ભ્રષ્ટાચારમાં દોષિતોને બચાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.