પછાત જાતિના લોકોની જાતિવાર વસ્તી ગણતરી કરાવવાની માંગ કરતાં કેન્દ્ર સરકારને લલકારતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે વડાપ્રધાન મોદીજી ચુંટણીમાં બોલતા હતાં કે હું પછાત વર્ગથી આવું છું મોદીજી તમે નકલી પછાતોના પુત્ર છો તમે અસલી પછાત વર્ગના પુત્ર હોત તો પછાતોનું અનામત ખત્મ કરવામાં લાગ્યા ન હોત.પહેલા નીટમાં પછાત વર્ગના 27 ટકા અનામત ખત્મ કરી 11,027 ઓબીસી સ્ટુડેંટ્સને ડોકટર બનાવતા રોકયા છે.
प्रोफेसर की नियुक्ति में पिछड़ो को आरक्षण नहीं दिया। योगी जी उप्र. में 69000 शिक्षक भर्ती में घोटाला किया,केंद्र/प्रदेश में भाजपा के ओबीसी आयोग के अध्यक्ष उपाध्यक्ष,सदस्य,मंत्री सांसद, विधायक सिर्फ वोट दिलाने के लिए बनाये गए है,ओबीसी के हिस्सेदारी पर बोलने से मना किया गया है।
— Om Prakash Rajbhar (@oprajbhar) July 26, 2021
જાતીય વસ્તીગણતરીના મુદ્દા પર ઓબીસી નેતા બેરા મુંગા થઇ જાય છે ભાજપ સરકાર પર નિશાન સાધતા ઓમપ્રકાશ રાજભરે પોતાના ટ્વીટ પર લખ્યું કે પ્રોફેસરની નિયુક્તિમાં પછાતોને અનામત આપ્યું નહીં, યોગીજી ઉત્તરપ્રદેશમાં 69,000 શિક્ષક ભરતીમાં કૌભાંડ કર્યું, કેન્દ્ર પ્રદેશમાં ભાજપના ઓબીસી પંચના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભ્ય મંત્રી સાંસદ ધારાસભ્ય ફકત મત અપાવવા માટે બનાવવામાં આવ્યા છે. ઓબીસીની ભાગીદારી પર બોલવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.
मोदी जी सच मे आप ओबीसी के दुश्मन हैं। मोदी सरकार OBC की जनगणना क्यों नहीं कराना चाहती? BJP व आरएसएस पिछड़े/अतिपिछड़े वर्गों को अछूत क्यो मानती है? मोदी जी 2022 में फिर “मैं पिछड़ा, “मैं पिछड़ी माँ का बेटा हूँ” चिल्लाने आएंगे, इस बार पिछड़े आपको नकली पिछड़ा बनाकर वापस लौटाएंगे।
— Om Prakash Rajbhar (@oprajbhar) July 26, 2021
સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટીના સુપ્રીમો ઓમપ્રકાશ રાજભરે વધુમાં કહ્યું કે મોદીજી હકીકતમાં ઓબીસીના દુશ્મન છે મોદી સરકાર ઓબીસીની વસ્તી ગણતરી કેમ કરાવવા માંગતા નથી. ભાજપ અને આરએસએસ પછાત અતિ પછાત વર્ગોને અછુત કેમ માને છે મોદીજી 2022માં હું પછાત હું પછાત માતાનો પુત્ર છું તેવો પ્રચાર કરશે પરંતુ આ વખતે પછાતો તમને નકલી પછાત બનાવી પાછા મોકલી દેશે.