ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ ડો. પ્રિયંકાબેન ખરાડીએ આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી કરી સોશિયલ મીડિયા પર તેમના ભાજપ છોડીને AAPમાં જોડાવા અંગેની ખોટી પોસ્ટ વાયરલ થતાં તેમણે આ કાર્યવાહી કરી આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી.

આ પોસ્ટમાં દાવો કરાયો હતો કે ખેડબ્રહ્મા પાલિકાના મહિલા પ્રમુખ ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની પ્રબળ શક્યતાઓ આ પોસ્ટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી પ્રમુખ ડો. પ્રિયંકાબેન ખરાડીએ તેમની અરજીમાં સ્પષ્ટ જણાવ્યું કે, આ પોસ્ટ તદ્દન ખોટી અને મનઘડંત.

તેમણે આ પોસ્ટને રાજકીય કિન્નાખોરી ગણાવી જે તેમને અને ભાજપ પક્ષને બદનામ કરવાના ઇરાદે મૂકવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો ડો. ખરાડીએ વધુમાં જણાવ્યું કે, આ ખોટી પોસ્ટના કારણે તેમની કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન થયું તેમણે પોલીસને આ મામલે સઘન તપાસ કરીને પોસ્ટ મૂકનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી.


