પાલનપુર શહેરના તાજપુરા વિસ્તારમાં મકાન આગળ ઉભેલ વરંડાની દિવાલ ધરાશાયી, જાનહાનિની ઘટના ટળી

July 8, 2022

— શહેરમાં ઉભેલા જર્જરીત મકાનો અને આવી દિવાલો પાલિકા ઉતરાવી લે તે જરૂરી :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં મોટી સંખ્યામાં જર્જરિત મકાનો અને દિવાલો આવેલી છે. જેને ઉતારી લેવાની તાત્કાલિક જરૂરિયાત જણાઈ રહી છે. પરંતુ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે હાલમાં આવી દિવાલો અને મકાનો કે જે જર્જરિત હાલતમાં છે તે ઊભા છે તે ગમે ત્યારે ધરાશાયી થાય અને મોટી દુર્ઘટના સર્જાય તેમ છે.
આજે પાલનપુરના ઢુંઢીયાવાડી તાજપુરા વિસ્તારમાં આવેલ એક વરંડાની દિવાલ ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. જોકે દુર્ઘટના ટળી જતાં સૌ કોઈએ રાહત અનુભવી હતી. નગરપાલિકાના સત્તાધીશો વરસાદ પૂર્વે આ પ્રકારની કામગીરી કરવામાં કેમ રસ ધરાવતા નથી તેવા સવાલ શહેરીજનો કરી રહ્યા છે.
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતા લતાબેન શ્રીમાળી ના ઘર આગળ ઉભેલ વરંડાની દિવાલ વહેલી સવારે પડેલા વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ ઘટના વખતે દીવાલની આસપાસ કોઈ નાનું બાળક કે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિની ઘટના ટળી ગઈ હતી પાલનપુર શહેરમાં મોટી સંખ્યામાં આવા જર્જરિત મકાનોની દીવાલો આજે પણ ઊભેલા છે. જેને નગર પાલિકા દ્વારા સર્વે કરી આવા જર્જરિત મકાનોની દિવાલો ઉતરાવી લેવાની તાતી જરૂર છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0