રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે. રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોરને લીધે અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વકરી છે. આ તમામ બાબતોને જોતા સરકાર ચિંતિત બની છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર અલાયદો કાયદો ઘડવાના મૂડમાં છે
નપા અને મનપા વિસ્તારમાં રખડતા ઢોરો હટાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા છતાં આ સમસ્યા જેમની તેમ છે. રાજ્યમાં પશુપાલન પર નભતા કુટુંબોની સંખ્યા ઘણી મોટી છે. મોટી સંખ્યામાં માલધારીઓ મોટા શહેરોની વચ્ચે રહે છે. જેથી ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓનો રસ્તા પર અડીંગો રહે છે
રસ્તા પર રખડતા ઢોર ઘણા કિસ્સાઓમાં નિર્દોષ લોકોનો જીવ પણ લે છે. આવી ઘટનાઓ રાજ્યમાં સતત વધી રહી છે. ત્યારે આ સમસ્યા એટલી હદે વકરી છે કે છેક સરકાર સુધી આ મામલે રજૂઆતો પહોંચી છે. જેને પરિણામે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિચારી રહી છે
ત્યારે રાજ્યમાં રખડતા ઢોરની આ સમસ્યાને નિવારવા આગામી સમયમાં સરકાર રાજ્યના વિવિધ માલધારી સંગઠનો સાથે વાચતીચ કરી તેમના અભિપ્રાય લેશે. આ સિવાય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આગામી વિધાનસભા સત્રમાં સરકાર આ મામલે કાયદો પણ લાવી શકે છે.
[News Agency]