<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Garvi Takat &#8211; Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</title>
	<atom:link href="https://garvitakat.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://garvitakat.com</link>
	<description>Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</description>
	<lastBuildDate>Sat, 29 Aug 2026 14:35:59 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0</generator>

<image>
	<url>https://garvitakat.com/wp-content/uploads/2021/10/gt-logo-150x150.png</url>
	<title>Garvi Takat &#8211; Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</title>
	<link>https://garvitakat.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>રક્ષાબંધનના પર્વે મહેસાણાના તાવડીયા રોડ પર આવેલી સોસાયટીમાં નજીવી બાબતે લોહીયાળ જંગ</title>
		<link>https://garvitakat.com/on-raksha-bandhan-in-mehsana/</link>
					<comments>https://garvitakat.com/on-raksha-bandhan-in-mehsana/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Sat, 29 Aug 2026 14:35:16 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67208</guid>

					<description><![CDATA[ગરવી તાકાત ઃ 29-8-2026 મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી સંકેતનગર સોસાયટી પાસેના સમર્પણ વિલામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે પાડોશી પરિવારો વચ્ચે ભારે ધીંગાણું સર્જાયું હતું. ભાઈ-બહેનના સ્નેહના આ તહેવાર પર મહેમાનની ગાડી પાર્ક કરવા મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં અત્યંત હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. બંને [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 29-8-2026</strong></span></p>
<p style="text-align: justify;"><strong>મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી સંકેતનગર સોસાયટી પાસેના સમર્પણ વિલામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે પાડોશી પરિવારો વચ્ચે ભારે ધીંગાણું સર્જાયું હતું. ભાઈ-બહેનના સ્નેહના આ તહેવાર પર મહેમાનની ગાડી પાર્ક કરવા મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં અત્યંત હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઉશ્કેરાટ ફેલાતાં લાકડાના ધોકા, મોટા પાટિયા અને ઈંટો વડે સામસામે છૂટા હાથે પથ્થરમારો તેમજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણમાં 14 વર્ષની એક સગીરા સહિત બંને પક્ષના અનેક લોકોને માથા તેમજ શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે સમગ્ર સોસાયટીમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ લોહીયાળ અથડામણની જાણ થતાં જ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મહેસાણા શહેર &#8216;એ&#8217; ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર બનાવ સંદર્ભે બંને પક્ષો દ્વારા સામસામી ગંભીર આક્ષેપો કરતી ક્રોસ ફરિયાદો નોંધાવવામાં આવતાં પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>પ્રથમ પક્ષે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફેડરલ બેંકમાં કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર રામજીભાઈ સોલંકીના ઘરે રક્ષાબંધન નિમિત્તે મહેમાનો આવ્યા હતા. મહેમાનની ફોર વ્હીલર ગાડી સોસાયટીના ગેટ પાસે વ્યવસ્થિત પાર્ક કરવામાં આવી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા પૂનમભાઈ પરમાર, તેમના પત્ની ભારતીબેન અને પુત્ર ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાડી અહીં કેમ પાર્ક કરો છો તેમ કહી અચાનક બેફામ ગાળાગાળી કરવા લાગ્યા હતા. વિપુલકુમારે તેમને ગાળો બોલવાની સ્પષ્ટ ના પાડતાં મામલો વધુ બિચક્યો હતો અને પૂનમભાઈના પુત્રએ ઉશ્કેરાઈને પોતાના ઘરમાંથી લાકડાનું મોટું પાટિયું લાવી સીધું જ વિપુલકુમારના માથામાં ફટકારી દીધું હતું. આ જીવલેણ હુમલામાં પાટિયું તૂટી જતાં તેનો એક મોટો ટુકડો ઉછળીને વિપુલકુમારની 14 વર્ષીય પુત્રી કાનનના માથામાં વાગતાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી. આ દરમિયાન વચ્ચે બચાવવા પડેલા તેમના ભાઈ અશ્વિનભાઈ ઉપર પણ લાકડાના પાટિયા વડે હુમલો કરી હાથના ભાગે ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.</strong></p>
<p style="text-align: justify;"><strong>બીજી તરફ સામા પક્ષે કડિયાકામ કરતા પૂનમભાઈ ખોડાભાઈ પરમારે વળતી ફરિયાદ નોંધાવતાં આક્ષેપ કર્યો હતો કે, વિપુલભાઈના ઘરે આવેલા મહેમાને તેમની ગાડી પૂનમભાઈના ઘર આગળ પાર્ક કરી દીધી હતી. તેથી તેમણે આ ગાડી પોતાના ઘર આગળ પાર્ક કરવા વિનંતી કરી હતી, પરંતુ આ સામાન્ય વાત સાંભળતાં જ સામેવાળો પરિવાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. ત્યાર બાદ વિપુલભાઈ, તેમના પત્ની મીનાક્ષીબેન, અન્ય એક સંબંધી અને એક એક્ટિવાચાલકે એકસંપ થઈ પૂનમભાઈના ઘર આગળ લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નાખી હતી. આટલેથી ન અટકતાં તેઓએ લાકડાના ધોકા વડે પૂનમભાઈ અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. પોતાનો જીવ બચાવવા માટે પૂનમભાઈનો પરિવાર ઘરની અંદર દોડી ગયો હતો, જેથી ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઘર પર ઈંટોથી ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ઘરની બારીઓના કાચ તોડી નાખી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ હિંસક મારામારીમાં પૂનમભાઈ, તેમના પત્ની ભારતીબેન અને પુત્ર નીલેશને શરીરના અનેક ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના એમ.એસ.ડબલ્યુ વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. મહેસાણા શહેર &#8216;એ&#8217; ડિવિઝન પોલીસે બંને પક્ષોના નિવેદનોના આધારે કાયદેસરનો ગુનો નોંધી સોસાયટી પરિસરના સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની પૂછપરછ કરવાની તજવીજ તેજ કરી છે. તહેવારના દિવસે જ નજીવી બાબતે સર્જાયેલી આ હિંસક ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/on-raksha-bandhan-in-mehsana/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તિમય માહોલ</title>
		<link>https://garvitakat.com/renowned-pilgrimage-site-and/</link>
					<comments>https://garvitakat.com/renowned-pilgrimage-site-and/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Sat, 29 Aug 2026 14:24:12 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67205</guid>

					<description><![CDATA[મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મા બહુચરના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા: રાજ્યની સુખાકારી અને અવિરત વિકાસ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના ક ગરવી તાકાત ઃ 29-8-2026 શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આદ્યશક્તિની પૂજા-અર્ચના સંપન્ન; પ્રભારી મંત્રી, ધારાસભ્ય સહિત ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતની સર્વાંગી સમૃદ્ધિની મનોકામના વ્યક્ત કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના પાવન યાત્રાધામ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મા બહુચરના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા: રાજ્યની સુખાકારી અને અવિરત વિકાસ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના ક</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 29-8-2026</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આદ્યશક્તિની પૂજા-અર્ચના સંપન્ન; પ્રભારી મંત્રી, ધારાસભ્ય સહિત ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતની સર્વાંગી સમૃદ્ધિની મનોકામના વ્યક્ત કરવામાં આવી</strong></span></p>
<p style="text-align: justify;">
<strong>ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના પાવન યાત્રાધામ અને પવિત્ર શક્તિપીઠ બહુચરાજી ખાતે પહોંચીને જગતજનની મા બહુચરના દિવ્ય દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિરના ગર્ભગૃહમાં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે શીશ નમાવીને રાજ્યના નાગરિકોના ઉત્કર્ષ માટે શુભકામના પાઠવી હતી. મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ-વિધાન અનુસાર વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ભાવવિભોર થઈને ભાગ લીધો હતો. યાત્રાધામ પરિસરમાં મુખ્યમંત્રીશ્રીનું આગમન થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી પરંપરાગત ઢબે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>મા આદ્યશક્તિના ચરણોમાં વંદન કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં શાંતિ, અમન, સમૃદ્ધિ અને પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસયાત્રા પ્રત્યેક ક્ષેત્રમાં અવિરત આગળ વધતી રહે અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે મા બહુચરના આશીર્વાદ સદાય પ્રજા પર વરસતા રહે. શક્તિપીઠની આ પવિત્ર ભૂમિ પરથી તેમણે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનીને નવી ઊંચાઈઓ અને સફળતાના શિખરો સર કરતું રહે તેવી દ્રઢ મનોકામના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરની મુલાકાત દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થા અને યાત્રાધામની દિવ્યતા પ્રત્યે ઊંડો આદર પ્રગટ કર્યો હતો.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ ધાર્મિક મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રી સાથે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તેમજ સ્થાનિક ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટરશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનની સુચારુ વ્યવસ્થા સંભાળી હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતથી બહુચરાજી ધામમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/renowned-pilgrimage-site-and/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>પ્રેમલગ્નની અદાવતમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભાઈએ જ સગી બહેન સાથે કર્યો વિશ્વાસઘાત</title>
		<link>https://garvitakat.com/premlagnani-adavatma-rak/</link>
					<comments>https://garvitakat.com/premlagnani-adavatma-rak/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Sat, 29 Aug 2026 13:02:22 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67201</guid>

					<description><![CDATA[વડનગરમાં રાખડી બાંધવા બોલાવી પરિણીત બહેનનું ફિલ્મી ઢબે અપહરણ: હિંમતનગર લઈ જઈ મિલકતમાં હિસ્સો ન માંગવા દબાણપૂર્વક સહીઓ કરાવી મોડી રાત્રે પેટ્રોલ પંપ નજીક મુક્ત કરાતાં પરિણીતાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી; વડનગર પોલીસે સાળા સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ તેજ કરી ગરવી તાકાત ઃ 29-8-2026 મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેનના સંબંધને [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>વડનગરમાં રાખડી બાંધવા બોલાવી પરિણીત બહેનનું ફિલ્મી ઢબે અપહરણ: હિંમતનગર લઈ જઈ મિલકતમાં હિસ્સો ન માંગવા દબાણપૂર્વક સહીઓ કરાવી</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>મોડી રાત્રે પેટ્રોલ પંપ નજીક મુક્ત કરાતાં પરિણીતાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી; વડનગર પોલીસે સાળા સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ તેજ કરી</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 29-8-2026</strong></span></p>
<p style="text-align: justify;"><strong>મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેનના સંબંધને લજવતો અને કાયદો વ્યવસ્થાને પડકારતો એક અત્યંત ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમલગ્નની અદાવત રાખીને સગા ભાઈએ જ અન્ય અજાણ્યા સાગરીતો સાથે મળીને પોતાની પરિણીત બહેનનું નંબર પ્લેટ વગરની અર્ટિગા ગાડીમાં ફિલ્મી ઢબે અપહરણ કરી લીધું હતું. પવિત્ર તહેવારના દિવસે બહેનને માત્ર રાખડી બાંધવાના બહાને બોલાવી આ આખું ષડયંત્ર પાર પાડવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ પરિણીતાને હિંમતનગર ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં પિયરની મિલકત કે જમીનમાં ભવિષ્યમાં કોઈ હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતે ધાકધમકી આપી બળજબરીથી સહીઓ કરાવી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે પરિણીતા હેમખેમ મુક્ત થઈ પોતાના પતિ અને પોલીસ સમક્ષ પહોંચતાં સમગ્ર ષડયંત્ર પરથી પડદો ઊંચકાયો છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>ઘટનાની વિગતો મુજબ, વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે સાત મહિના અગાઉ મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પોતાના સાસરે પતિ સાથે સુખી દાંપત્યજીવન વિતાવી રહી હતી. રક્ષાબંધનના દિવસે વૈદેહીના સગા ભાઈ જેનિલ પટેલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને રાખડી બાંધવા માટે વડનગર ખાતે મળવા બોલાવી હતી. ભાઈના બોલાવવાથી ભાવુક બનેલી વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને ભત્રીજી સાથે એક્ટિવા પર સવાર થઈને વડનગરના તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપ સામે પહોંચી હતી. ત્યાં નિર્ધારિત સ્થળે વૈદેહીએ પોતાના ભાઈ જેનિલને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાવ્યું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>પરંતુ આ પવિત્ર તહેવારની આડમાં જેનિલે બહેનનું અપહરણ કરવાનું પૂર્વઆયોજિત કાવતરું ઘડી રાખ્યું હતું. રાખડી બાંધવાની વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે દંપતી પરત સાસરે જવા નીકળવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે જેનિલે કોઈને કોઈ બહાને તેમને વાતોમાં પરોવી રાખી રોકી રાખ્યા હતા. આ દરમિયાન અચાનક વિસનગર તરફથી એક શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરની સફેદ રંગની અર્ટિગા કાર ત્યાં આવીને ઊભી રહી હતી. તેમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને વૈદેહીની ભારે બૂમાબૂમ તથા પ્રતિકાર છતાં તેને બળજબરીપૂર્વક ખેંચીને કારમાં બેસાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેનિલ પણ પોતાનું વાહન ત્યાં જ રસ્તા પર મૂકીને અપહરણકર્તાઓની ગાડીમાં સવાર થઈ ગયો હતો અને તમામ આરોપીઓ પૂરપાટ ઝડપે કાર હંકારીને નાસી છૂટ્યા હતા. પત્નીનું નજર સામે જ અપહરણ થતાં હતપ્રભ બનેલા પતિ સચીનકુમારે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ મથકે પહોંચી સાળા જેનિલ પટેલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાવતરું રચી અપહરણ કરવાનો ગુનો દાખલ કરાવ્યો હતો.</strong></p>
<p style="text-align: justify;"><strong>અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયા બાદ પરિણીતા વૈદેહીએ પોલીસ અને પરિવાર સમક્ષ ચોંકાવનારી આપવીતી રજૂ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આરોપીઓ તેને ગાડીમાં બેસાડીને સીધા હિંમતનગર ખાતે આવેલી એસપીજીની ઓફિસે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી હાજર પિયર પક્ષના લોકોએ તેને સાસરી પક્ષ સાથેનો છેડો ફાડી પિયર પરત આવી જવા માટે સતત માનસિક દબાણ કર્યું હતું અને સમજાવટના પ્રયાસો કર્યા હતા. જોકે, વૈદેહીએ કોઈપણ સંજોગોમાં પોતાના પતિ સાથે જ સાસરે રહેવાની મક્કમતા દર્શાવતાં પિયર પક્ષના લોકો ઉશ્કેરાયા હતા. આખરે પિયર પક્ષના લોકોએ પોતાની અસલ દાનત છતી કરતાં પરિણીતા પાસે ભવિષ્યમાં પિયરની કોઈપણ સ્થાવર-જંગમ મિલકત કે જમીનમાં ક્યારેય પણ હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતે તૈયાર કરાયેલા લખાણ પર દબાણપૂર્વક સહીઓ કરાવી લીધી હતી.</strong></p>
<p style="text-align: justify;"><strong>કાગળો પર સહીઓ કરાવી લીધા બાદ આરોપીઓ પરિણીતાને ફરીથી અર્ટિગા ગાડીમાં બેસાડીને મોડી રાત્રે આશરે એક વાગ્યાના સુમારે વડનગર પેટ્રોલ પંપ નજીક નિર્જન જગ્યાએ ઉતારીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ભયભીત હાલતમાં મુક્ત થયેલી પરિણીતાએ તુરંત જ ત્યાંથી પસાર થતી એક વ્યક્તિની મદદ મેળવી તેમના મોબાઈલ ફોન પરથી પોતાના પતિ સચીનકુમારનો સંપર્ક સાધ્યો હતો. પત્નીનો ફોન આવતાં જ પતિ તાત્કાલિક વડનગર પોલીસ સ્ટાફને સાથે રાખીને પેટ્રોલ પંપ પર પહોંચી ગયો હતો અને પત્નીને હેમખેમ પોતાની સાથે લઈ લીધી હતી. વડનગર પોલીસે યુવતીનું વિગતવાર અને કાયદેસરનું નિવેદન નોંધીને અપહરણ, ધાકધમકી તથા દબાણપૂર્વક સહીઓ કરાવવા બદલ ગુનામાં સંડોવાયેલા જેનિલ પટેલ સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/premlagnani-adavatma-rak/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>કડી પોલીસે ટ્રેક્ટર અને બે બાઇકની ચોરીનો ભેદ ઉકેલ્યો, બે આરોપીઓ પાસેથી ૩.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી</title>
		<link>https://garvitakat.com/kadi-police-e-tractor-ane-be/</link>
					<comments>https://garvitakat.com/kadi-police-e-tractor-ane-be/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Sat, 29 Aug 2026 12:47:27 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67198</guid>

					<description><![CDATA[ગરવી તાકાત ઃ 29-8-2026 કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બનતા વાહન ચોરીના બનાવોને ગંભીરતાથી લઈને કડી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે સઘન પેટ્રોલિંગ અને બાતમીના આધારે ટ્રેક્ટર તેમજ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરાયેલું [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 29-8-2026</strong></span></p>
<p style="text-align: justify;"><strong>કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બનતા વાહન ચોરીના બનાવોને ગંભીરતાથી લઈને કડી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે સઘન પેટ્રોલિંગ અને બાતમીના આધારે ટ્રેક્ટર તેમજ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરાયેલું એક કિંમતી ટ્રેક્ટર તથા બે બાઇક મળીને કુલ રૂપિયા ૩,૬૦,૦૦૦નો મુદ્દામાલ સફળતાપૂર્વક કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે કડી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. દવે તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતા.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ પેટ્રોલિંગ દરમિયાન આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર જેમોરભાઇને ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના ટ્રેક્ટર સાથે પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી દેવગઢ (કાસ્વા) ગામની સીમમાંથી શંકાસ્પદ ટ્રેક્ટર નંબર GJ-02-ER-7549 લઈને ભાગી રહેલા મહિપતભાઇ પરબતભાઇ પરમાર નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. ટ્રેક્ટરના કાગળો અને માલિકી બાબતે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની અટકાયત કરી કડી પોલીસ મથકે લાવીને કડક પૂછપરછ શરૂ કરી હતી.</strong></p>
<p style="text-align: justify;"><strong>પોલીસની આગવી ઢબની સઘન પૂછપરછમાં મહિપત પરમારે પોતાના અન્ય સાથીદારો સાથે મળીને વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે તેનો સાથીદાર જયેશ કાનજીભાઇ રાવળ ચોરીની અન્ય મોટરસાયકલ સાથે કડી-નંદાસણ રોડ પર આવેલા ઊંટવા પાટીયા પાસે ગ્રાહકની રાહ જોઈને ઊભો છે. આ ચોંકાવનારી વિગત સામે આવતા જ પોલીસે તાબડતોબ ઊંટવા પાટીયા ખાતે દરોડો પાડી જયેશ ರાવળને બે મોટરસાયકલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ વાહનોની તપાસ કરતા એક બાઇક નંબર GJ-02-DG-1387 વિસતપુરા ગામેથી અને બીજું બાઇક કલોલ શહેર વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>કડી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૩ લાખની કિંમતનું ટ્રેક્ટર અને રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતની બે ચોરાઉ બાઇક મળીને કુલ રૂપિયા ૩.૬૦ લાખનો તમામ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. આ ચોરીના નેટવર્કમાં સામેલ પ્રફુલ નીમાભાઇ મોરવાડીયા (ઠાકોર) નામના અન્ય એક સાગરીતનું નામ પણ ખુલવા પામ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય કોઈ ચોરીઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં કડી પોલીસે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/kadi-police-e-tractor-ane-be/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>વડનગરમાં &#8216;શ્રાવણ ઉત્સવ-૨૦૨૬&#8217; અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ: ૧૦૮ કલાકારોના નાદ સાથે મંત્રી શ્રી રમણભાઈ સોલંકી જોડાયા</title>
		<link>https://garvitakat.com/vadnagar-ma-shravan-utsav-2026/</link>
					<comments>https://garvitakat.com/vadnagar-ma-shravan-utsav-2026/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Sat, 29 Aug 2026 12:36:36 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67195</guid>

					<description><![CDATA[ગરવી તાકાત ઃ 29-8-2026 ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસના ઉપક્રમે ઐતિહાસિક નગરી વડનગર ખાતે &#8216;શ્રાવણ ઉત્સવ-૨૦૨૬&#8217; અંતર્ગત એક અતિ ભવ્ય અને દિવ્ય સમૂહ ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તિના આ મહોત્સવમાં ૧૦૮ જેટલા કુશળ કલાકારોએ એકસાથે ડમરુ વાદન પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 29-8-2026</strong></span></p>
<p><strong>ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસના ઉપક્રમે ઐતિહાસિક નગરી વડનગર ખાતે &#8216;શ્રાવણ ઉત્સવ-૨૦૨૬&#8217; અંતર્ગત એક અતિ ભવ્ય અને દિવ્ય સમૂહ ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તિના આ મહોત્સવમાં ૧૦૮ જેટલા કુશળ કલાકારોએ એકસાથે ડમરુ વાદન પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિશેષ ઉપસ્થિત રહી ડમરુ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈ કલાકારોનો ઉત્સાહ બમણો કર્યો હતો.</strong></p>
<p><strong>આ ભવ્ય યાત્રાનું વિધિવત પ્રસ્થાન વહેલી સવારે વડનગરના સુપ્રસિદ્ધ ધાંસકોળ દરવાજા ખાતેથી પરંપરાગત વાદ્યોના ગગનભેદી નાદ અને હર હર મહાદેવના ઘોષ સાથે કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે કલાકારોને બિરદાવ્યા હતા અને લોકસાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતા આવા આયોજનોની સરાહના કરી હતી. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન કરવા તેમજ ધાર્મિક ઉત્સવોના માધ્યમથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રા નગરના વિવિધ ઐતિહાસિક અને પવિત્ર માર્ગો પરથી પસાર થઈ હતી.</strong></p>
<p><strong>ધાંસકોળ દરવાજાથી પ્રસ્થાન પામી આ આધ્યાત્મિક ડમરુ યાત્રા ભુવનેશ્વરી માતાજીના મંદિર અને મોઢવાડાના ચાચરે પહોંચી હતી, જ્યાં સ્થાનિક નાગરિકોએ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યાત્રા મસીયા મહાદેવ, અટાળો તથા મહાકાળી મંદિર જેવા પ્રાચીન સ્થાનો પર થઈને ચકલા અને આમતોલ દરવાજા તરફ આગળ વધી હતી. માર્ગમાં ઠેરઠેર સ્થાનિક રહિશો અને ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલાકારો પર પુષ્પવર્ષા કરી હતી અને સમગ્ર નગરમાં એક અનેરો ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આ ભક્તિમય પદયાત્રાનું પાવન સમાપન વડનગરના આરાધ્ય દેવ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી હાટકેશ્વર મહાદેવના પરિસરમાં થયું હતું.</strong></p>
<p><strong>હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચીને મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવોએ વિધિવત દર્શન, પૂજા-અર્ચના અને જળાભિષેક કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા વિશેષ શિવ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે પ્રસ્તુત થયેલા ૧૦૮ ડમરુના નાદે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પાવન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, અગ્રણી શ્રી મયંકભાઈ પટેલ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/vadnagar-ma-shravan-utsav-2026/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>મહેસાણામાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને &#8216;સમરસ વિદ્યા સેતુ&#8217; કાર્યક્રમ યોજાયો</title>
		<link>https://garvitakat.com/district-in-charge-minister-of-mehsana/</link>
					<comments>https://garvitakat.com/district-in-charge-minister-of-mehsana/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Sat, 29 Aug 2026 12:15:23 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67192</guid>

					<description><![CDATA[પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં સાર્વજનિક સંકુલ ખાતે &#8216;સમરસ વિદ્યા સેતુ&#8217; કાર્યક્રમ યોજાયો; ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું કરાયું બહુમાન ગરવી તાકાત ઃ 29-8-2026 મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને &#8216;સમરસ વિદ્યા સેતુ&#8217; કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રે થયેલા નવતર પ્રયોગોની પ્રશંસા [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p><span style="color: #0000ff;"><strong>પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં સાર્વજનિક સંકુલ ખાતે &#8216;સમરસ વિદ્યા સેતુ&#8217; કાર્યક્રમ યોજાયો; ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું કરાયું બહુમાન</strong></span></p>
<p><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 29-8-2026</strong></span></p>
<p><strong>મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને &#8216;સમરસ વિદ્યા સેતુ&#8217; કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રે થયેલા નવતર પ્રયોગોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં &#8216;બેક ટુ સ્કૂલ&#8217; અભિયાન અંતર્ગત ૧૦,૧૬૪ જેટલા શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેમને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને રાજ્ય સરકારના આયોજનથી હજારો બાળકોના ભવિષ્યને નવી દિશા મળી છે.</strong></p>
<p><strong>શિક્ષકોની ભૂમિકા વિશે વિગતવાર વાત કરતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે શિક્ષક પોતે જ સ્વયંમાં સન્માનિત વ્યક્તિત્વ છે. નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતા તમામ શિક્ષકો સાચા અર્થમાં સન્માનને પાત્ર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળક મોટો થઈને ગમે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધે, પરંતુ તે એક સંસ્કારી અને જવાબદાર નાગરિક બને તે જોવાની પાયાની જવાબદારી શિક્ષકોની છે. સમાજમાં વયસ્કો પ્રત્યે આદર રાખતો ઉત્તમ નાગરિક ઘડવો અને વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત તથા દેવામુક્ત પરિવાર બનાવવાની પ્રેરણા આપવી એ જ સાચા અર્થમાં શિક્ષણની સાર્થકતા છે. કળિયુગના આ સમયમાં બાળકોમાંથી દાનવ વૃત્તિ દૂર કરી દેવ વૃત્તિ જાગ્રત કરવાનું પવિત્ર કાર્ય શિક્ષકો જ કરી શકે છે.</strong></p>
<p><strong>રોજગારી અને અર્થતંત્રના પાસાઓ પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના કુલ એમ્પ્લોયમેન્ટ સેક્ટરમાં કૃષિ ક્ષેત્રનું ૪૮ ટકા જેટલું મોટું યોગદાન હોવા છતાં આજે ખેડૂતોના બાળકો માત્ર નોકરી તરફ વળી રહ્યા છે. હવે સમય પાકી ગયો છે કે શિક્ષકો વિદ્યાર્થીઓમાં એવો આત્મવિશ્વાસ અને આંતરિક ઊર્જા જગાડે જેથી તેઓ ખેતી અને અન્ય આનુષંગિક ક્ષેત્રોમાં નવી રોજગારીની સંભાવનાઓ અને સાહસ ઊભા કરી શકે. શિક્ષણનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સાચો અને વિધાયક દ્રષ્ટિકોણ કેળવવાનું પણ હોવું જોઈએ.</strong></p>
<p><strong>આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે &#8216;બેટી બચાવો, બેટી પઢાવો&#8217; અને &#8216;કન્યા કેળવણી પ્રવેશોત્સવ&#8217; જેવા અભિયાનો દ્વારા શિક્ષણ ક્રાંતિનો પાયો નાખ્યો હતો. આજે ૨૫ વર્ષ બાદ આ અભિયાનોની સફળતા સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. &#8216;સમરસ વિદ્યા સેતુ&#8217; અભિયાન દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવાનું કાર્ય બાળકના ઉજ્જવળ ભવિષ્યનો સાચો પાયો છે. આ અવસરે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મયોગીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદીએ અભિયાનની રૂપરેખા આપી હતી.</strong></p>
<p><strong>આ ગરિમામય કાર્યક્રમમાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી શાલિની દુહાન તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનોજભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી હસમુખભાઈ, અગ્રણી શ્રી મિલનભાઈ ચૌધરી તથા બીઆરસી, સીઆરસી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/district-in-charge-minister-of-mehsana/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>નશાના કાળા કારોબાર સામે બનાસકાંઠા રેન્જ પોલીસની લાલ આંખ</title>
		<link>https://garvitakat.com/banaskantha-range-police-cracks-down-on-illegal-drug-trade/</link>
					<comments>https://garvitakat.com/banaskantha-range-police-cracks-down-on-illegal-drug-trade/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Fri, 28 Aug 2026 14:35:07 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67184</guid>

					<description><![CDATA[ધાનેરા નજીકથી ટાટા સફારી ગાડીમાંથી રુ.૩૪.૩૦ લાખનો ૨૨૮.૭ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો; વાહન સહિત કુલ રુ.૫૦.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત ગરવી તાકાત ઃ 28-8-2028 બનાસકાંઠા રેન્જમાં માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા રેન્જ વિસ્તારમાં એનડીપીએસ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ધાનેરા નજીકથી ટાટા સફારી ગાડીમાંથી રુ.૩૪.૩૦ લાખનો ૨૨૮.૭ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો; વાહન સહિત કુલ રુ.૫૦.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 28-8-2028</strong></span></p>
<p style="text-align: justify;"><strong>બનાસકાંઠા રેન્જમાં માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા રેન્જ વિસ્તારમાં એનડીપીએસ અંતર્ગત આવતા નશીલા પદાર્થોની તસ્કરીને નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રેન્જ પોલીસ સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે એક વૈભવી ટાટા સફારી ગાડીમાંથી લાખો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>બનાસકાંઠા રેન્જ પોલીસ સ્ટાફને એક ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, ગ્રે કલરની એક શંકાસ્પદ ટાટા સફારી ગાડી (નંબર 23-બીએચ-8188-સી) માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો મોટો જથ્થો ભરીને ડીસાથી ધાનેરા માર્ગે થઈ રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે રેન્જ પોલીસની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ધાનેરા ખાતે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મુજબની ટાટા સફારી ગાડી પૂરપાટ ઝડપે આવતી જણાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગળ પોલીસનું કડક ચેકિંગ જોઈને ગાડીનો ચાલક અને તેની સાથે સવાર અન્ય અજાણ્યો ઈસમ અચાનક વાહન રસ્તા પર જ બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો ગેરલાભ ઉઠાવી ખેતરો અને ઝાડીઓમાં નાસી છૂટ્યા હતા.</strong></p>
<p style="text-align: justify;"><strong>પોલીસ ટીમે તાત્કાલિક શંકાસ્પદ ટાટા સફારી વાહનની ઝીણવટભરી તલાશી લેતા ગાડીની અંદરથી કાળા રંગના પ્લાસ્ટિકના કુલ ૧૨ મોટા કટ્ટા મળી આવ્યા હતા. જેનું વજન અને તપાસ કરતા તેમાંથી કુલ ૨૨૮.૭ કિલોગ્રામ ગેરકાયદે પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રુ.૩૪,૩૦,૫૦૦ જેટલી આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રુ.૧૬,૦૦,૦૦૦ ની કિંમતની ટાટા સફારી ગાડી તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વાહનમાં રાખેલી અલગ-અલગ રાજ્યોની નંબર પ્લેટોની ૬ જોડ મળીને કુલ ₹૫૦,૩૦,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ સમગ્ર મામલે નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક અને તેના સાગરીત વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 15(સી) અને 29 મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નશાનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/banaskantha-range-police-cracks-down-on-illegal-drug-trade/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>શ્રાવણ સુદ પૂર્ણિમાના પર્વે મરતોલી ધામમાં ભક્તિનો મહાસાગર ઊમટ્યો</title>
		<link>https://garvitakat.com/shravan-sud-purnima-celebrations-at-martoli-chehar-mata-temple/</link>
					<comments>https://garvitakat.com/shravan-sud-purnima-celebrations-at-martoli-chehar-mata-temple/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Fri, 28 Aug 2026 14:00:35 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67179</guid>

					<description><![CDATA[જોટાણાના મરતોલી ગામે કેસર ભવાની ચેહર માતાજીના મંદિરે લાખો શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું; જયઘોષથી ગૂંજી ઊઠ્યું પરિસર ગરવી તાકાત ઃ28-8-2026 મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક યાત્રાધામ મરતોલી ખાતે બિરાજમાન શ્રી કેસર ભવાની ચેહર માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમાના શુભ અવસરે આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણી પૂનમનો વિશેષ મહિમા [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>જોટાણાના મરતોલી ગામે કેસર ભવાની ચેહર માતાજીના મંદિરે લાખો શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું; જયઘોષથી ગૂંજી ઊઠ્યું પરિસર</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ28-8-2026</strong></span></p>
<p style="text-align: justify;"><strong>મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક યાત્રાધામ મરતોલી ખાતે બિરાજમાન શ્રી કેસર ભવાની ચેહર માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમાના શુભ અવસરે આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણી પૂનમનો વિશેષ મહિમા હોવાના કારણે વહેલી સવારની મંગળા આરતીથી જ સમગ્ર ગુજરાતભરમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે મરતોલી ધામ પહોંચી ગયા હતા. મંદિર પરિસર તરફ જતા તમામ માર્ગો ભક્તિમય રંગમાં રંગાઈ ગયા હતા અને શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહથી સમગ્ર ગામ જીવંત બની ગયું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>શ્રાવણ પૂર્ણિમાના આ પાવન દિવસે ચેહર માના દર્શનનું અનોખું આધ્યાત્મિક મહત્વ રહેલું છે, જેના ભાગરૂપે મંદિર પરિસરને દેશ-વિદેશના વિવિધ સુગંધિત અને રંગબેરંગી ફૂલો તેમજ આકર્ષક રોશનીથી અત્યંત ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. માતાજીનો શણગાર પણ મનમોહક રીતે કરવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દૂર-દૂરથી હજારો માઈભક્તો પોતાના હાથમાં માતાજીની પચરંગી ધજાઓ લહેરાવતા, મુખે &#8216;જય ચેહર મા&#8217;ના ગગનભેદી જયઘોષ બોલાવતા પગપાળા સંઘો સાથે આવી પહોંચ્યા હતા. ભક્તોના ઉત્સાહ અને અડગ આસ્થા આગળ લાંબી પદયાત્રાનો થાક પણ ઓગળી ગયો હતો.</strong></p>
<p style="text-align: justify;"><strong>આટલી વિશાળ જનમેદની વચ્ચે પણ દર્શનાર્થે આવેલા કોઈપણ ભાવિક ભક્તને સહેજ પણ અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરું અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ કતારબદ્ધ દર્શન વ્યવસ્થા, સતત પીવાના શુદ્ધ પાણી અને ચા-નાસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થાને સુપેરે પાર પાડવા માટે ૪૦થી વધુ સમર્પિત સ્વયંસેવકો રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહીને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા હતા.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ ઉપરાંત ભક્તોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે શ્રી કેશર ભવાની અન્નક્ષેત્ર સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને વિનામૂલ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦,૦૦૦થી પણ વધુ ભાવિક ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન મરતોલી ધામ ચેહર માતાજીના જયજયકાર, ભક્તિ ગીતો અને મંત્રોચ્ચારથી ગુંજાયમાન રહ્યું હતું અને લાખો ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/shravan-sud-purnima-celebrations-at-martoli-chehar-mata-temple/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>મહેસાણા જિલ્લા જેલમાં રક્ષાબંધનની હૃદયસ્પર્શી ઉજવણી</title>
		<link>https://garvitakat.com/raksha-bandhan-at-mehsana-district-jail/</link>
					<comments>https://garvitakat.com/raksha-bandhan-at-mehsana-district-jail/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Fri, 28 Aug 2026 13:32:27 +0000</pubDate>
				<category><![CDATA[મુખ્ય સમાચાર]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67174</guid>

					<description><![CDATA[જેલના સળિયા પાછળ બંધ ભાઈઓના કાંડે બહેનોએ સ્નેહનું રક્ષાકવચ બાંધ્યું, પરિસરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા ગરવી તાકાત ઃ 28-8-2027 આજે સમગ્ર દેશમાં ભાઈ-બહેનના અખૂટ સ્નેહ, અતૂટ વિશ્વાસ અને પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે મહેસાણા જિલ્લા જેલ ખાતે પણ એક અત્યંત ભાવુક અને સંવેદનશીલ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">જેલના સળિયા પાછળ બંધ ભાઈઓના કાંડે બહેનોએ સ્નેહનું રક્ષાકવચ બાંધ્યું, પરિસરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">ગરવી તાકાત ઃ 28-8-2027</span></strong></p>
<p style="text-align: justify;"><strong>આજે સમગ્ર દેશમાં ભાઈ-બહેનના અખૂટ સ્નેહ, અતૂટ વિશ્વાસ અને પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે મહેસાણા જિલ્લા જેલ ખાતે પણ એક અત્યંત ભાવુક અને સંવેદનશીલ વાતાવરણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે જ્યાં કડક નિયમો અને શાંતિ છવાયેલી હોય છે તે જેલ પરિસરમાં આજે પારિવારિક લાગણીઓ અને હેતનો અનોખો સંગમ રચાયો હતો. જેલ પ્રશાસન દ્વારા જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને તેમની વ્હાલસોયી બહેનો રાખડી બાંધી શકે તે માટે અત્યંત સુચારુ અને સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>પોતાના પરિવારથી દૂર અને જેલની ચાર દીવાલો વચ્ચે રહેલા ભાઈઓને રક્ષાકવચ બાંધવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો મહેસાણા જિલ્લા જેલ પરિસરમાં પહોંચી ગઈ હતી. મહિનાઓ કે વર્ષો બાદ પોતાના ભાઈને રૂબરૂ જોઈને અનેક બહેનો પોતાના આંસુ રોકી શકી નહોતી અને પરિસરમાં હર્ષ તેમજ લાગણીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા. બહેનોએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભાઈઓના કપાળે કંકુ-ચોખાનું તિલક કરી, આરતી ઉતારીને તેમના કાંડા પર સ્નેહની રાખડી બાંધી હતી. ત્યારબાદ મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને ભાઈના દીર્ઘ આયુષ્ય તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે ઈશ્વર સમક્ષ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. ભાઈઓએ પણ પોતાની બહેનોને પ્રેમપૂર્વક આશીર્વાદ આપી તેમની રક્ષાનું વચન દોહરાવ્યું હતું.</strong></p>
<p style="text-align: justify;"><strong>મહેસાણા જિલ્લા જેલમાં હાલમાં કાચા અને પાકા કામના મળીને આશરે ૩૩૦ જેટલા કેદીઓ બંધ છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓને મળવા આવતી બહેનો અને પરિવારજનોને કોઈ પણ પ્રકારની અગવડતા, તકલીફ કે હાલાકી ન ભોગવવી પડે તે માટે જેલ સત્તાધીશો દ્વારા અગાઉથી જ બેઠક વ્યવસ્થા, પીવાના પાણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. મુલાકાતીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને જેલ પરિસરની અંદર તેમજ બહારના માર્ગો પર સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ વિશેષ આયોજન અંગે વિગતવાર માહિતી આપતા મહેસાણાના ઈન્ચાર્જ જેલ અધિક્ષક એચ.એલ. વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્યના જેલ વડા ડૉક્ટર કે.એલ. રાવ સાહેબની સીધી સૂચના અને ડી.આઈ.જી. રાકેશ બારોટ સાહેબના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેલમાં બંધ કોઈ પણ બંધીવાન ભાઈ તહેવારના દિવસે પોતાના પરિવારના સ્નેહથી વંચિત ન રહે અને બહેનો કોઈપણ અવરોધ વિના સરળતાથી પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેદીઓમાં સદ્ભાવના જળવાઈ રહે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલા રહે તે હેતુથી મહેસાણા જેલ તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધનની આ ભાવસભર પરંપરાને અવિરતપણે જાળવી રાખવામાં આવી છે.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/raksha-bandhan-at-mehsana-district-jail/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>પાલનપુર ભરત ચૌધરી મર્ડર કેસ: ૧ વર્ષથી ફરાર મુખ્ય આરોપી LCBના સકંજામાં</title>
		<link>https://garvitakat.com/palanpur-bharat-chaudhary-murder-k/</link>
					<comments>https://garvitakat.com/palanpur-bharat-chaudhary-murder-k/#respond</comments>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Thu, 27 Aug 2026 12:55:06 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=67171</guid>

					<description><![CDATA[ગરવી તાકાત ઃ 27-8-2026 બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી ભરત ચૌધરી મર્ડર કેસમાં પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં છેલ્લા એક વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ફિલ્મી ઢબે દબોચી લીધો છે. બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>ગરવી તાકાત ઃ 27-8-2026</strong></span></p>
<p style="text-align: justify;"><strong>બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી ભરત ચૌધરી મર્ડર કેસમાં પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં છેલ્લા એક વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ફિલ્મી ઢબે દબોચી લીધો છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.</strong></p>
<p style="text-align: justify;"><strong>દરમિયાન એલસીબી પોલીસ ટીમને ચોક્કસ ગુપ્ત બાતમી, હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે મહત્વની કડી મળી હતી કે ભરત ચૌધરી હત્યા કેસનો વોન્ટેડ આરોપી પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી પસાર થવાનો છે. આ સચોટ માહિતીના આધારે પોલીસે પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા નજીક વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે સફળતાપૂર્વક ઘેરાબંધી કરીને છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અશ્વિન ઉર્ફે રાજુ ભપ શંકરભાઈ પટેલ (ઉંમર વર્ષ ૩૯, રહે. આનંદનગર સોસાયટી, પાલનપુર) ને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ ચકચારી હત્યા કેસ સંદર્ભે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧), ૧૦૯, ૧૧૫(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૨૪(૪) તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયેલો હતો. એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપી અશ્વિન ઉર્ફે રાજુ પટેલનો કબ્જો મેળવીને આગળની રિમાન્ડ સહિતની કાયદેસરની કાર્યવાહી અર્થે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://garvitakat.com/palanpur-bharat-chaudhary-murder-k/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
