વિજય રૂપાણીના હસ્તે માંડલ-બેચરાજી SIR ઓથોરીટીના બીલ્ડીંગનુ ઈ-લોકાર્પણ

December 11, 2020

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ના હસ્તે શુક્રવારના રોજ માંડલ-બેચરાજી SIR ડેવલપમેન્ટ ઓથોરિટીના નવનિર્મિત બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આ લોકાર્પણના કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, તાજેતરમાં જે આંકડા પ્રસીધ્ધ થયા એ મુજબ ભારતમાં છેલ્લા 2 વર્ષમાં વિદેશી રોકાણના 52 ટકા ગુજરાતમાં આવ્યુ છે. બાકીના 48 ટકામાં દેશના અલગ અલગ રાજ્યોનો સમાવેશ થાય છે. એનો અર્થ એ જ થાય છે કે ગુજરાત બેસ્ટ ઈનવેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યુ છે. એમા પણ બેચરાજી – માંડલ સ્પેશયલ ઈનવેસ્ટમેન્ટ રીજીયોનલ બન્યુ છે. 

માંડલ બેચરાજી સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયોનલનુ ગઠન વર્ષ 2016માં કરવામાં આવ્યુ હતુ. જ્યા અલગ અલગ વિદેશી-દેશી કંપનીઓને ઈન્વેસ્ટ કરવા માટે મોકળુ મેદાન પુરુ પાડવામાં આવે છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0