કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા પડતર માગણીઓ ના સ્વીકારતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું : કડી

May 13, 2021
કડી તાલુકામાં આવેલ ખાવડગામમાં નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા પડતર માંગણીઓ ના મળતા આંખે કાળી પટ્ટી બાંધી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત ના પ્રમુખ વિનોદભાઈ પંડયા ના જણાવ્યા મુજબ તારીખ 12-10-2020 ના રોજ માંગણીઓ આજ રોજ તારીખ 9-5-2021 એમ કુલ છ મહિના પુરા થઈ ગયેલ હોવા છતાં પણ અમારી પડતર માંગણીઓ ને હકારાત્મક વાચા પણ આપવામાં આવેલ નથી અને છેલ્લાં એક વર્ષ થી એન.એચ. એમ કર્મચારીઓ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમના ઘર પરિવાર કે કુટુંબજનોની પરવા કર્યા વગર અમારા જીવના જોખમે જે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છિએ છતાં પણ તે કામગીરી ને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એન.એચ.એમ કર્મચારીઓ ની સતત અવગણના થઇ રહી હોય તેવું ગુજરાત એન.એચ.એમ ન કર્મચારીઓ રોષની લાગણીઓ ફેલાયેલ હોવાથી અમારા યુનિયનના તમામ કર્મચારીઓ સતત હકારાત્મક રીઝલ્ટ ની આશાસ્પદ સવાલોના છ મહિના સુધી પણ તેમના પ્રશ્નો નું હકારાત્મક નિરાકણ ન આવી શકતું હોય તો આ ખુબજ એન.એચ.એમ કર્મચારીઓ પ્રત્યે રાજ્ય સરકાર તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી કોરોના મહામારી ના સમયે પણ જે પોતાની ફરજ ખડે પગે દિવસ-રાત નિભાવી રહ્યા છે છતાં પણ તેમને રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓ ની હકારાત્મક જવાબ ન મળતા તેમની બેદરકારી જોવા મળી રહી છે.
Story and Photo – Jaimin sathvara

આ પડતર માંગણીઓ ના હકારાત્મક નિર્ણય માટે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી આગામી સમયમાં તારીખ 12-5-2021 થી 14-5-2021 એમ કુલ 3 દિવસ મળી ને સમગ્ર ગુજરાત ના તમામ એન.એચ.એમ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ને આ ચાલી રહેલી કોરોના વાયરસ ને કારણે જે પણ દર્દીઓ કોરોના સક્રમનમાં આવ્યા છે તેમને સંપૂર્ણ પણે સાચવણી અને તેમની કાળજીપૂર્વક યોગ્ય સારવાર આપવાની અને પોતાની ફરજનું કામ કરીશું તેવી ચિમકી આપવામાં આવી હતી. તેમ છતાં પણ તારીખ 14-5-2021 સુધીમાં અમારી માંગણીઓ ને ધ્યાન માં લેવામાં નહિ આવે તો આવી વિપરતી કોરોના જેવી પરિસ્થિતિમાં અતિ આવશ્યક એવી સેવાઓ સાથે જોડાયેલ હોવાના કારણે એન.એચ.એમ કર્મચારીઓ ગુજરાત ની જનતાને તકલીફ પડવા નહિ દઇએ અને હડતાલ કરી ને  કામગીરીને અસર થાય અને સમગ્ર ગુજરાત ની જનતા ને તકલીફ પડે એવું અમારા દ્વારા કોઈ પણ માનવતા વિહોણ કૃત્ય કરવામાં આવશે નહિ પણ અમારા લોકોને પણ પરિવાર છે અમને લોકો ને પણ મોંઘવારી નડે છે એટલા માટે અમે અમારા હક માટે  માંગણીઓ કરી રહ્યા છે. અને આપેલ તારીખ સુધીમાં હકારાત્મક પરિણામ નહીં મળે તો અમે સૌ લોકો એન.એચ.એમ ના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાત માંથી 15-5-2021 ના રોજ સામુહિક રાજીનામાં આપવામાં આવશે. પણ આ કર્મચારીઓ દ્વારા આપેલ રાજીનામાં હોવા છતાં અમે માનવતાની લાગણી રાખીને આવી કોરોના મહામારી ની વિકટ પરિસ્થિતિમાં હડતાલ કરી અને ગુજરાત ની જનતાને હેરાન ગતિ કર્યા વગર અમે સૌ કર્મચારીઓ સામુહિક સ્વૈચ્છિક રાજીનામાં આપી ને પણ અમારા ગ્રામ્ય લેવલ કે અમારા વસવાટ ના  સ્થળે ગુજરાતની જનતાની સ્વૈચ્છિક અને ની:સ્વાર્થ ભાવે અમે દિવસ-રાત જોયા વગર અમે આ સેવા ના કાર્યમાં જોડાઈ રહીશું. અને દરેક દર્દીઓ ને આ વાયરસ ને કારણે પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરી શું અને હંમેશા તમામ દર્દીઓ ને યોગ્ય અને ચોકસ પ્રમાણ માં સારવાર આપતા રહીશું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0