ભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો

May 31, 2021

સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરી કરાયેલા આંકડા મુજબ વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા 1.6 ટકાના દરે વૃદ્ધિ પામી છે, પરંતુ જીડીપીમાં આ નાણાકીય વર્ષ દરમિયાન 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2021 દરમ્યાનનો વૃદ્ધિ દર અગાઉના ત્રિમાસિક ગાળાના ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ના કરતા સારો રહ્યો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2019-20માં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં ત્રણ ટકાનો વધારો થયો છે.2020-21 દરમ્યાન ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ચાર ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. NSOએ આ વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરેલા તેમના અંદાજમાં જણાવ્યુ હતુ કે,  2020-21 દરમિયાન જીડીપીમા 7.7 ટકા ઘટાડો જોવા મળશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0